આજે વિશ્વ ચકલી દિવસ. દિવસેને દિવસે શહેરીકરણમાં નવા મકાનની બાંધણીને કારણે ચકલીનું અસ્તિત્ત્વ જોખમમાં મુકાતું જાય છે. આવા સમયે ચકલીઓને બચાવવા માટે નિવૃત વન અધિકારી વી.ડી.બાલા લોકોમાં ચકલી અંગેની જાગૃતિનું કામ કરી રહ્યા છે. વીવી
Advertisement
Advertisement
વી.ડી.બાલા જણાવે છે કે અમે લગભગ એક મહિના સુધી ચકલીઓનો અભ્યાસ કરીને એ તારણ કાઢ્યું કે આપણી ઓસરી અને તેમાં રહેલા ખોલા ચકલીઓ માટે એક યોગ્ય રહેઠાણ હતું. પરંતુ આજના આધુનિક ઘરોમાં ઓસરી ના હોવાથી ચકલીઓને સુરક્ષિત સ્થાન મળતા નથી. મોટા ભાગના લોકો એવું માને છે કે ચકલીઓ ઝાડ પર કે વનવગડામાં રહે છે. પરંતુ ચકલીઓ મોટા ભાગે એક પ્રકારે સામાજિક પક્ષી છે. તે મનુષ્યો સાથે પોતાને વધુ સુરક્ષિત માને છે. ઓસરી અને ઘરમાં આવેલા ફોટા પાછળની જગ્યાઓ કે જૂના ઘરના મોભાડાના ખોલા ચકલીઓને વધુ અનુકૂળ આવે છે.
વી.ડી.બાલા અગાઉ હિંગોળગઢ ખાતે વન અધિકારી તરીકે ગીર ફાઉન્ડેશનમાં લાંબી સેવા બજાવી ચૂક્યા છે અને ત્યાં તેમણે બાળકોમાં વન્ય પ્રાણીઓ અને પ્રકૃતિ પ્રત્યે એક હકારાત્મક અભિગમ ઊભો થાય એ માટે અનેક શૈક્ષણિક શિબોરોનું આયોજન કર્યું હતું. તેઓ હાલમાં રાજકોટમાં ચકલી અંગેની જાગૃતિનું કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે શાળાઓ, સામાજિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ પૂઠાંમાંથી બનાવેલા ચકલીના બનાવીને લોકોને વહેંચીએ છીએ.
સામાન્ય રીતે બાળકો ચકલી માટે વધુ સંવેદનશીલ હોવાથી તે ઝડપથી આગળ આવે છે. કેટલાંક પરિવારોએ પોતાની લગ્નની કંકોત્રરી પણ માળાના આકારમાં કપાવીને છપાવી હોવાથી તે કંકોત્રીનો ઉપયોગ થઈ જાય પછી તેનો ઉપયોગ માળા તરીકે પણ કરી શકાય છે. ચકલીઓને સૌથી વધુ પૂઠાંના માળા વધુ અનુકૂળ આવે છે. અમે ચકલીઓની સાઈઝ પ્રમાણે એક ચોક્કસ માપથી માળો બનાવ્યો છે જેના કારણે આવો માળો મૂકતા તે તરત જ આકર્ષાઈને માળા બનાવે છે.
Advertisement