ગુજરાત એક્સક્લૂઝિવ: આ વર્ષના મે મહિનામાં ગુજરાત ભાજપા અધ્યક્ષ સીઆર પાટિલે પોતાના પાર્ટી કાર્યકર્તાઓને આગ્રહ કર્યો હતો કે તેઓ ઓછામાં ઓછા એક કુપોષિત બાળકની દેખરેખ રાખે, જેથી રાજ્યમાંથી આગામી 90 દિવસોમાં કુપોષણને ખત્મ કરવામાં આવી શકે. જોકે, તેમની સૂચના પછી કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે કે નહીં તે અંગેનો ડેટાની ઉપલબ્ધતા ખુબ જ ઓછી છે પરંતુ પાટિલના દેશી નુસખાથી ખ્યાલ આવે છે કે રાજ્યમાં કુપોષણની સ્થિતિ ખુબ જ ગંભીર છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં બાળ કુપોષણના કેટલાક માપદંડ દેશની અંદર ખુબ જ ખરાબ સ્થિતિને દર્શાવી રહ્યાં છે, જે દેશના વર્તમાન સરેરાશ કરતાં પણ ખરાબ સ્તરમાં છે. તે ત્યારે વધારે આશ્ચર્યજનક લાગે છે કેમ કે ગુજરાતને ઔદ્યોગિક રૂપથી ઉન્નત રાજ્ય માનવામાં આવે છે, જેમાં ઉચ્ચ આર્થિક વિકાસ, મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ અને રાજકીય સ્થિરતાના રૂપમાં એક મોડલ માનવામાં આવે છે, ભાજપા 1995થી સતત શાસનમાં રહી છે, એક દોઢ વર્ષનો નાના એવા સમયગાળાને છોડીને નેવુંના દાયકાના ઉત્તરાર્ધમાં ભાજપનો એક વેર-વિખેર સમૂહ સત્તામાં આવ્યો હતો.
સૌથી પહેલા આપણે બાળ પોષણની સ્થિતિ પર એક નજર કરી લઇએ જે પાછલા વર્ષે રાષ્ટ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેક્ષણના પાંચમા તબક્કાના પરિણામથી માહિતી સામે આવી રહી છે. આ સર્વે 2019-20 દરમિયાન કરવામાં આવ્યો હતો.
ઠિંગણા, નબળા અને ઓછા વજનવાળા બાળકો
બાળકોના પોષણની સ્થિતિ માપવા માટે ત્રણ જાણિતા માપદંડ છે, સ્ટંટિંગ (ઉંમર અનુસાર ઓછી લંબાઇ), વેસ્ટિંગ (ઉંચાઇ અનુસાર ઓછું વજન) અને ઓછું વજન (ઉંમર પ્રમાણે ઓછું વજન) હોય તેવા બાળકો કુપોષિત શ્રેણીમાં આવે છે. આ પેરામીટર પર ગુજરાતના આંકડા જેટલા દુ:ખદ છે તેટલા જ ચોંકાવનારા પણ છે, જેમ કે નીચે આપેલા ચાર્ટમાં દેખી શકાય છે.
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 39 ટકા બાળકો ઓછી ઉંચાઇવાળા નોંધાયા છે. અખિલ ભારતીય સરેરાશ આંકડો 35.5 ટકા છે જે પોતાની રીતે જ ઘણો ઊંચો છે- પરંતુ ગુજરાત 39 ટકા સાથે તેના કરતાં પણ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. ગુજરાતમાં 25 ટકાથી વધારે બાળકો નબળા છે. ફરીથી આ આંકડો 19.3 ટકાના અખિલ ભારતીય સરેરાશથી ઘણો વધારે છે. ગુજરાતમાં લગભગ 40 ટકા બાળકો પોતાની ઉંમરના હિસાબથી ઓછું વજન ધરાવે છે- આની સરખામણી ભારતીય સરેરાશ 32 ટકાથી વધારે છે. ભારતના સરેરાશ સરખામણીના સૌથી ખરાબ ધોરણોવાળા કેટલાક ગરીબ રાજ્ય સામેલ છે, પરંતુ તથ્ય તે છે કે પોતાને ડબલ એન્જિન સરકાર ગણાવતું ગુજરાત પોતાના બાળકોને પર્યાપ્ત પોષણ આપવામાં ગંભીર રૂપથી નિષ્ફળ રહ્યું છે.
એવું પણ જાણવા મળ્યું છે કે અખિલ ભારતીય સ્તર પર 11 ટકાથી વધારેની સરખામણીમાં 6થી 23 મહિનાના આયુ વર્ગમાં માત્ર લગભગ 6 ટકા શિશુઓને પર્યાપ્ત આહાર મળી રહ્યો હતો. આ નાના બાળકો માટે પર્યાપ્ત આહારનો અર્થ, સ્તનપાન કરનારા બાળકોને 4 અથવા વધારે ભોજન સમૂહ અને ન્યૂનતમ ભોજનની પ્રાપ્તિથી છે, બિન-સ્તનપાનવાળા બાળકોને ઓછામાં ઓછા 3 શિશુ અને નાના બાળકોના સમૂહ (જે અન્ય દૂધ અથવા દૂધ ઉત્પાદકો સાથે ખવડાવવામાં આવે છે)ના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ન્યૂનત્તમ ભોજનના રૂપમાં આપવામાં આવે છે, આમ 6-8 મહિનાનાન સ્તનપાન કરનારા શિશુને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ઠોસ અથવા અર્ધ-ઠોસ ભોજન આપવામાં આવે છે અને 9-23 મહિનાના સ્તનપાન કરનાર બાળકોને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ઠોસ અથવા અર્ધ-ઠોસ ભોજન આપવામાં આવે છે, ઓછામાં ઓછા ચાર ખાદ્ય સમૂહોને અર્ધ-ઠોસ ખાદ્ય પદાર્થ કહેવામાં આવે છે, જેમાં દૂધ અથવા દૂધ ઉત્પાદ ખાદ્ય ચીજ-વસ્તુઓ સામેલ નથી.
જેમ કે ઉપરોક્ત આંકડાઓથી સરળતાથી સમજી શકાય છે કે ભારતમાં મોટા પ્રમાણમાં બાળકો કુપોષણના શિકાર છે. કેટલાક રાજ્ય ખુબ જ શાનદાર રીતે કામ કરે છે, જ્યારે અન્ય ખરાબ સ્થિતિમાં છે. આશ્ચર્યની વાત તે છે કે, આપણું ગુજરાત આ બાબતે સૌથી ખરાબ રાજ્યોમાં આવે છે. પીએમ મોદી ઈચ્છે છે કે ગુજરાતી પોતાના રાજ્ય પર ગર્વ કરે અને મોટા ભાગે આરોપ લગાવે છે કે રાજનીતિથી પ્રેરિત ટીકાકારો ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરે છે. પરંતુ આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતી બાળકોને રાજ્યમાં સત્તાધારી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલા મોડલની નીતિઓના કારણે ગંભીર રૂપથી કુપોષિત બનાવી દીધા છે.
મહિલાઓ અને બાળકોમાં એનીમિયા એટલે લોહીની ઉણપ
એક વધુ પેરામીટર જે અધ્યયન લાયક છે તે એનીમિયા છે. રક્તમાં આયરનની ઉણપના કારણે બાળકોમાં માનસિક અને શારીરિક બંને રીતની વિકારાત્મક કમીનું કારણ બને છે. એનએફએચએસ-5ના આંકડાઓથી ખ્યાલ આવે છે કે પાંચ વર્ષથી ઓછી ઉંરમના 80 ટકા બાળકો એનીમિયાથી પીડિત છે. આ ભારતીય સરેરાશથી પણ કફોડી સ્થિતિમાં છે- જેના ગુજરાતના બાળકોના આંકડા ચોંકાવનારા છે- જે લગભગ 67 ટકા છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે બાળકોને આ ઉણપ તેમની માતા પાસેથી વારસામાં મળે છે- લગભગ 63 ટકા ગર્ભવતી મહિલાઓને એનીમિયા હતું, જ્યારે દેશભરમાં આ સરેરાશ લગભગ 52 ટકા હતો. અસલમાં ગુજરાતમાં પ્રજનન આયુ વર્ગ (15-49 વર્ષ)ની બધી મહિલાઓમાંથી 65 ટકા એનીમિયા પીડિત હતી, જે ભારતીય સરેરાશ 57 ટકાની સરખામણીમાં ખુબ જ વધારે છે. (નીચે ચાર્જ જૂઓ)
નીતિ આયોગની વેબસાઈટ પર ઉપલબ્ધ સર્વેક્ષણના નિષ્કર્ષોના આધાર પર આંતરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થા (આઈએફપીઆરઆઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલ જિલ્લાવાર અનુમાન જણાવે છે કે, કુપોષણ સૂચંકાકો પર સૌથી વધારે ભાર ધરાવનારા જિલ્લાઓમાં જે જિલ્લા સામેલ છે, તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ અને બનાસકાંઠા સ્ટંટિંગ અને બાળકોમાં ઓછા વજનની સમસ્યા વધારે છે. એનીમિયાની સમસ્યા સૂરત, અમદાવાદ, પંચમહાલ, બનાસકાંઠા અને દાહોદમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે, તે ઉપરાંત આ તમામ જિલ્લાઓ નબળા બાળકોનો પણ ઉંચા ડેટા ધરાવે છે. આનાથી ખ્યાલ આવે છે કે, મોટા શહેરોની સાથે-સાથે મોટી જનસંખ્યા ધરાવતા શહેરો અને ગરીબ શહેરોમાં પણ કુપોષણની સમસ્યા વિકરાળ સ્વરૂપમાં ફેલાયેલી છે.
હવે શું કરી શકાય?
આપણા ગુજરાતને દેશભરના અન્ય રાજ્યો સામે એક” મોડલ”ના રૂપમાં દર્શાવવામાં આવે છે. દેશના અન્ય રાજ્યોને ગુજરાત જેવા બનાવવાના સ્વપ્ન બતાવવામાં આવે છે, આપણા ગુજરાતને સુશાસનના અનુકૂળ ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે, તે છતાં પણ રાજ્ય પોતાના જ બાળકોની સૌથી તાકીદની જરૂરિયાતોને સંતોષવામાં કેમ નિષ્ફળ રહ્યું છે?
વિશેષજ્ઞોનું માનવું છે કે નાની ઉંમરમાં બાળકોનું સ્વાસ્થ્ય અનેક કારણોના મિશ્રણથી નિર્ધારિત થાય છે, જેમાં બાળકો અને માં બંને માટે પોષ્ટિક ભોજનનું ઉપલબ્ધ હોવું, સમય પર સ્વાસ્થ્ય દેખભાળ થવી, સાફ-સફાઇ રહેવી, સ્વચ્છ પીવાનું પાણી અને ગર્ભવસ્થા દરમિયાન માંનુ સ્વાસ્થ્ય સામેલ છે. ગરીબી બાળ સ્વાસ્થ્યના સૌથી મોટા કારકોમાંથી એક છે કેમ કે પર્યાપ્ત આવકના અભાવના કારણે માં અને બાળક બંને કુપોષણથી પીડિત રહે છે. ઝાડા-ઉલટી અને અન્ય મોટા પ્રમાણમાં પાણીજન્ય બાળ રોગોની સારવાર માટે સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપરાંત સ્વચ્છતાની સ્થિતિને સુનિશ્ચિત કરવી પણ જરૂરી છે કેમ કે જૂની બિમારી પણ સારૂ ભોજન મળતો હોવા છતાં બાળકને કમજોર અને એનીમિક બનાવી દે છે, જે માં અને બાળકોને અન્ય બિમારીઓ તરફ ધકેલી દે છે.
આ સમસ્યાઓના સમાધાન માટે સરકાર શું કરે છે? સારી આવક અને નિયમિત રોજગાર (જે પરિવારને ગરીબીમાંથી બહાર નિકાળશે) સુનિશ્ચિત કરવા ઉપરાંત સરકાર પાસે અનેક કાર્યક્રમ છે જે બાળ કુપોષણને દૂર કરવા માટે ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાંથી એક મહત્વપૂર્ણ આંગણવાડી કાર્યક્રમ સામેલ છે, જે છ વર્ષથી નાની વયના બાળકોને પોષણ સંબંધી સહાયતા આપે છે. સ્પષ્ટપણે ગુજરાતમાં આવી ગંભીર સમસ્યાઓને દૂર કરવા માટે કાં તો પૂરતી રાજકીય મંજૂરી મળી નથી અથવા તેના અસરકારક અમલીકરણ માટે પૂરતું ભંડોળ ફાળવવામાં આવ્યું નથી.
જોકે, પાછલા કેટલાક વર્ષોમાં કુપોષણથી પીડિત બાળકોના રેશિયામાં ઘટાડો આવ્યો છે, પરંતુ તે ઘટાડા છતાં પણ સ્થિતિ એટલી ગંભીર બનેલી છે કે, હવે રાજ્યના શાસનકર્તાઓએ ગુજરાત મોડલના પ્રચાર પ્રશાર સાથે-સાથે રાજ્યના ભવિષ્ય બનનારા બાળકોના સ્વાસ્થ્ય અંગે અને તેમના દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોને ગ્રાઉન્ડ લેવલે સારી રીતે રન કરવા માટે પગલા ભરવા પડશે. ગુજરાતમાં રહેલી કુપોષણની સમસ્યા 90 દિવસમાં ઉકેલાઇ જેવી સ્થિતિમાં નથી. તેથી સરકારે તેનું સમાધાન કરવા માટે મોટા પાયે પગલા ભરવા રહ્યાં. ભાજપાનો દરેક કાર્યકર્તા ઓછામાં ઓછો એક કુપોષિત બાળકનું ભરણપોષણ કરે તો પણ સમસ્યા 90 દિવસમાં ખત્મ થાય તેવી સ્થિતિમાં દેખાઇ રહી નથી.
Advertisement