વડોદરા: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઇને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરા પહોચ્યા હતા. એરપોર્ટ પર તેમની સામે જ કેટલાક લોકોએ મોદી-મોદીના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. જવાબમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ કેજરીવાલ-કેજરીવાલના નારા લગાવ્યા હતા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી હસતા આગળ વધી ગયા હતા. બાદમાં તેમણે કહ્યુ કે ભાજપને આ વખતે ગુજરાતમાં ઘણી તકલીફ થવાની છે, માટે તેમની સામે નારા લગાવડાવ્યા હતા.
Advertisement
Advertisement
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસના પ્રવાસે પહોચ્યા છે. વડોદરામાં એક ટાઉન હોલ કાર્યક્રમને સંબોધિત કરવા પહોચેલા કેજરીવાલ સામે અચાનક મોદી-મોદીના નારા લાગવાના શરૂ થઇ ગયા હતા. કેજરીવાલ જેવા જ એરપોર્ટના એક્ઝિટ ગેટ પર પહોચ્યા પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન ત્યા ઉભેલા ભાજપના સમર્થક મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી હાથ જોડીને હસતા ત્યાથી બહાર નીકળી ગયા હતા.
કેજરીવાલે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમનો દાવો કરતા કહ્યુ,
વડોદરા એરપોર્ટ પર હું ઉતર્યો ત્યારે 30-40 લોકોએ મારી સામે મોદી-મોદીના નારા લગાવ્યા. ગુજરાતમાં એવો માહોલ બની ગયો છે કે ભાજપને તકલીફ થવાની છે. કહેતા હતા કે 66 બેઠક એવી છે અર્બન વિસ્તારમાં જ્યા ભાજપ ક્યારેય હારી નથી, આ વખતે આ બેઠકો પર પણ તકલીફ થવાની છે. આ મારી વિરૂદ્ધ નારા તો લગાવશે જ. બીજી વસ્તુ આ છે કે જ્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત આવે છે તો તેમની સામે નારા નથી લગાવ્યા. ભાજપ અને કોંગ્રેસ ભેગા થઇને કેજરીવાલ વિરૂદ્ધ નારા લગાવે છે, બન્ને મળીને ગાળો બોલે છે.
ભાજપ શાસિત ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આપ નેતાએ લોકો સુધી પહોચવા માટે તાજેતરમાં જ કેટલીક વખત રાજ્યનો પ્રવાસ કર્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં ભાજપની સતત 27 વર્ષથી સરકાર છે. મુખ્ય વિપક્ષી કોંગ્રેસ પાર્ટી સિવાય આ વખતે દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી આપે પુરી મહેનતથી ચૂંટણી લડી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે તાજેતરના દિવસોમાં મફત વિજળી, રોજગાર અને મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની માસિક મદદ જેવા કેટલાક દાવા કર્યા છે.
આપના રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા બુધવારે અમદાવાદનો પ્રવાસ કરશે અને ઉત્તર ગુજરાતમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કર્યા પહેલા સાબરમતી આશ્રમ જશે.
Advertisement