નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારત જોડો યાત્રા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ખડગેએ સુરક્ષામાં બેદરકારી દાખવવા પર કેન્દ્ર સરકારને ખરૂ ખોટુ સંભળાવતા કહ્યુ કે આ ઘણુ નિરાશાજનક છે. આ ભારત સરકારની મુખ્ય જવાબદારી છે, તેમણે કહ્યુ કે ભારત પહેલા જ બે વડાપ્રધાન અને કેટલાક નેતાઓને સુરક્ષામાં બેદરકારીને કારણે ગુમાવી ચુક્યુ છે. આ સાથે જ ખડગેએ કહ્યુ કે આપણે પહેલા જ બે વડાપ્રધાનને ગુમાવી ચુક્યા છીએ માટે રાહુલ ગાંધીને સારી સુરક્ષા મળવી જોઇએ.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે ભારતે સુરક્ષામાં બેદરકારીને કારણે બે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને ગુમાવવા પડ્યા હતા. આ બન્ને વડાપ્રધાનની હત્યા કેવી રીતે થઇ અને ક્યા સુરક્ષામાં ચૂક થઇ હતી તેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
ઇન્દિરા ગાંધીને શિખ ગાર્ડોએ મારી હતી 30 ગોળી
ઇન્દિરા ગાંધીની બે બૉડીગાર્ડ્સ બેઅંત સિંહ અને સતવંત સિંહે 31 ઓક્ટોબર, 1984માં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ બન્ને ઇન્દિરા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’થી નારાજ હતા.
31 ઓક્ટોબર, 1984માં સવારે 9 વાગ્યે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન કાર્યાલયની બહાર નીકળ્યા હતા. ઇન્દિરા ગાંધી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની સુરક્ષામાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ બેઅંત સિંહે પોતાની સર્વિસ રિવૉલ્વરથી ઇન્દિરા ગાંધી પર ત્રણ ગોળી ચલાવી હતી.
બેઅંત સિંહે તેમનાથી થોડી દૂર ઉભેલા સતવંત સિંહને કહ્યુ- ‘જોઇ રહ્યા છો? ગોળી મારો’. સતવંતે તુરંત પોતાની ઓટોમેટિક કાર્બાઇનની તમામ 25 ગોળી ઇન્દિરા ગાંધી ઉપર ચલાવી હતી. ગોળી લાગ્યા બાદ ઇન્દિરા ગાંધીને તુરંત AIIMS હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, 4 કલાક બાદ બપોરે 2 વાગ્યે તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઇન્દિરા ગાંધી પર ગોળી ચલાવ્યા બાદ બેઅંત સિંહ અને સતવંત સિંહને અન્ય સુરક્ષાકર્મીઓએ પકડી લીધા હતા. આ દરમિયાન ભાગવાના પ્રયાસમાં બેઅંત સિંહ માર્યો ગયો હતો. સતવંત સિંહની ધરપકડ કરવામાં આવી હતી.
ઇન્દિરા ગાંધીના હત્યારા ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લેવા માંગતા હતા. શિખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની આતંકીઓ વિરૂદ્ધ સેનાની મદદથી ઇન્દિરા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’માં હજારો લોકો માર્યા ગયા હતા.
સતવંત સિંહ સાથે ઇન્દિરા ગાંધીની હત્યાનું ષડયંત્ર રચનારા કેહર સિંહ અને બલવંત સિંહ પર પણ કેસ ચાલ્યો હતો. જોકે, બાદમાં પુરાવના અભાવમાં બલવંત સિંહને છોડી મુકવામાં આવ્યા અને ઇન્દિરા ગાંધી પર ગોળી ચલાવનારા સતવંત સિંહ અને ષડયંત્ર રચનારા કેહર સિંહને હત્યાના દોષી ગણતા મોતની સજા સંભળાવી હતી. ઇન્દિરા ગાંધીના મોતના 5 વર્ષ પછી સતવંત સિંહ (54 વર્ષ) અને કેહર સિંહ (26 વર્ષ)ને 6 જાન્યુઆરી 1989માં તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
આત્મઘાતી બોમ્બ ધમાકામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી
ચેન્નાઇ પાસે શ્રીપેરંબદૂરમાં રાજીવ ગાંધીની 21 મે 1991માં હત્યા કરવામાં આવી હતી. દેશમાં આધુનિકતાનો પાયો નાખનારા વડાપ્રધાનને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યા હતા, તેમની સાથે સાથે 16 અન્ય લોકો પણ આ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. કહેવામાં આવે છે કે રાજીવ ગાંધીને ફૂલોનો હાર પહેરાવવાના બહાને લિટ્ટેની એક મહિલા આતંકીએ પોતાના શરીર પર બાંધેલા બોમ્બથી ઉડાવી દીધા હતા.
શું લિટ્ટેએ કરી હતી રાજીવ ગાંધીની હત્યા?
21 મે 1991ના દિવસે ચેન્નાઇ પાસે શ્રીપેરંબદૂરમાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીએ શ્રીલંકામાં એલટીટીઇ વિરૂદ્ધ શાંતિ સેના મોકલી હતી. આ કારણે તમિલ વિદ્રોહી સંગઠન લિટ્ટે (LTTE, લિબરેશન ટાઇગરક્સ ઓફ તમિલ ઇલમ) તેમનાથી નારાજ હતો. તે રાજીવ ગાંધીની હત્યાની યોજના બનાવી રહ્યુ હતુ. જ્યારે 1991માં લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનમાં રાજીવ ગાંધી ચેન્નાઇ પાસે શ્રીપેરંબદૂર પહોચ્યા તો લિટ્ટેએ તેમણે પોતાના નિશાન બનાવ્યા હતા.
શ્રીપેરંબદૂરમાં જ્યારે રાજીવ ગાંધી લોકોને મળી રહ્યા હતા તે દરમિયાન એક મહિલા તેમની પાસે આવવાનો પ્રયાસ કરી રહી હતી. આતંકી મહિલાને સુરક્ષાકર્મી રાજીવ ગાંધી પાસે આવતા રોકી રહ્યા હતા પરંતુ ખુદ રાજીવ ગાંધીએ જ પોલીસ કર્મીને કહ્યુ કે કેમ રોકી રહ્યા છો, આવવા દો. આ રાજીવ ગાંધીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઇ હતી. પાસે આવીને મહિલાએ વિસ્ફોટ કરીને રાજીવ ગાંધી સહિત 16 લોકોનો જીવ લઇ લીધો હતો.
રાજીવ ગાંધી પર મિન્હાજ મર્ચેટના લખેલા પુસ્તક ‘રાજીવ ગાંધી, ઇંડ ઓફ એ ડ્રીમ’ અનુસાર, હત્યાના સમયે પાંચ સભ્ય ઘટનાસ્થળે હાજર હતા જેમાં ધનુ, શિવરાસન, નલિની, શુભા અને હરિબાબુ સામેલ હતા. પુસ્તક અનુસાર વિસ્ફોટ સમયે એક તસવીર ક્લિક કરી રહેલા ફોટોગ્રાફર હરિબાબુનું ધનુ સાથે ઘટનાસ્થળે મોત થયુ હતુ જ્યારે અન્ય ત્રણ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ 9 હત્યારામાં માત્ર નિલિનીને જ પોલીસે જીવતી ધરપકડ કરી હતી બાકીના મોત આત્મહત્યાથી થયા હતા.
Advertisement