વડોદરા: વડોદરામાં ટ્રેલર ચાલકે સ્ટેયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા છકડાને ટક્કર મારી હતી જેમાં 10 લોકોના મોત થયા હતા. છકડા અને કન્ટેનર વચ્ચે ટક્કર થતા છકડામાં બેસેલા 10 લોકોના મોત થયા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને છકડાના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
છકડો રોંગ સાઇડથી આવતો હતો
સુરતથી અમદાવાદ જતા કન્ટેનર ચાલકે કાર ચાલકને બચાવવા જતા સ્ટેઇરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવી દીધો હતો અને જેને કારણે કન્ટેનર રોંગ સાઇડથી આવતા છકડાને અડફેટે લીધો હતો. આ છકડામાં 14 મુસાફર સવાર હતા જેમાંથી 10 લોકોના મોત થયા છે જ્યારે 4 મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતને પગલે એરફોર્સ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સહિત સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં લાગ્યા હતા. કન્ટેનર અકસ્માત સર્જ્યા બાદ દરજીપુરા એરફોર્સની દિવાલ તોડીને અંદર ઘુસી ગયુ હતુ.
અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો
કન્ટેનર અને છકડા વચ્ચેના અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને કારણે વાહન ચાલકો અટવાઇ પડ્યા હતા. જોકે, ટ્રાફિક પોલીસે તે પછી ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો અને નેશનલ હાઇવેને વાહન ચાલકો માટે ખુલ્લો મુક્યો હતો.
PM મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ
વડોદરા દૂર્ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોન 2-2 લાખ રૂપિયા જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
Anguished by the loss of lives due to a road accident in Vadodara district. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 4, 2022
Advertisement