વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થતા વડનગરમાં ત્રણ દિવસનો શોક પાળવામાં આવ્યો છે. વડનગરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી.
Advertisement
Advertisement
વડનગર વેપારી એસોસિએશન દ્વારા પણ હીરાબાના નિધનને લઇને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. વડનગરના પનોતા પુત્ર અને ભારત વર્ષના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી પૂજ્ય હિરાબાનું શતાયુ વર્ષમાં દુખદ અવસાન થયેલ છે. સમગ્ર નગરજનો ઘેરાશોક અને દુખની લાગણી અનુભવે છે. વડનગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર શુક્ર-શનિ અને રવિવાર સુધી 3 દિવસ સ્વયંભૂ બંધ રાખવા વિનંતી કરવામાં આવે છે.
હીરાબાને જ્યારે અમદાવાદની યૂએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે વડનગરના હાટકેશ્વર મંદિરમાં તેમના માટે પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા અને હીરાબાના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Advertisement