હવામાન ખાતાએ ફરી એકવાર માવઠાની આગાહી કરતાં ખેડૂતોમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. થોડા દિવસ પહેલાં જ સળંગ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં અષાઢી માહોલ જામ્યો હતો. છેલ્લા બે દિવસથી થોડો તાપ પ્રસરતા ખેડૂતોમાં બચેલા પાકમાંથી કંઈક આવક થશે એવી આશા સાથે કૃષિ સમુદાય સમય પસાર કરી રહ્યો હતો ત્યાં ફરી માવઠાની આગાહી થતાં જ તમામ કૃષિ ક્ષેત્રમાં નિરાશાનું મોજું છવાઈ ગયું છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 29,30,31 માર્ચના રોજ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
એક તરફ કેસર કેરી, ઘઉં, મરચાં અને કપાસનો પાક તૈયાર થવાની અણી પર છે ત્યારે આ પ્રકારના સમાચાર ચિંતિત કરી દે તેવા છે.
Advertisement