ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ઝાપટું છે તો ક્યાંક વાદળછાયું વાતવરણ તો તો વળી અમરેલી, જુનાગઢ, રાજકોટ, પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદની સાથે સાથે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડવાને કારણે નદીઓનો પ્રવાહ પણ વધી રહ્યો છે તો આ વિસ્તારમાં ઊભા પાક જમીનદોસ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના જામનગરના કેટલાંક વિસ્તારોમા પણ કમોસમી વરસાદને કારણે અહીંનું જનજીવન પ્રભાવિત થયું છે.
Advertisement
Advertisement
આજે અમદાવાદમાં પણ સમી સાંજે વીજળીના ચમકારા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સેટેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદે લોકોના રુટિન પર રોક લગાવી હતી. જેને પરિણામે અમદાવાદમાં એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે.
રાજુલા પંથકમાં બપોર પછી ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, કાગવદર, ભટવદર સહિતના વિસ્તારમાં અને સાવરકુંડલાના ચીખલી, વીજપડી, ભમર, ધાંડલા, આંબરડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી જિલ્લામાં સતત સાત દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો આશા પર પાણી ફરી વળ્યા છે. સ્થિતિ કફોડી બની છે.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ આવી જ કંઈક હાલત જાણવા મળી છે. અહીં પાટણ શહેર, રાધનપુર, સમી, સાંતલપુર અને વારાહી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોઈ શકાય છે.
સોશ્યલ મીડિયા પર વરસતા વરસાદને લઈને ખેડૂતોની નુકસાનીના અસંખ્ય વીડિયો ખેડૂતોની પરિસ્થિતિ દર્શાવી રહ્યા છે જેના કારણે વાતાવરણનો પલટો સમગ્ર રાજ્યની ખેતી પર અસર કરશે તેવી સતત ભીતી ખેડૂત અને પ્રજામાં પ્રવર્તી રહી છે.
Advertisement