ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 6 માર્ચ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. તેને પગલે ખેડુતોની ચિંતા ફરી વધી ગઈ છે. આ દિવસોએ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા અને નવસારીમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જીલ્લામાં વરસાદની આગાહીએ ખેડુતોને ચિંતામાં મૂકી દીધાંછે. કેટલાક જીલ્લામાં કેરીનો પાક થતો હોવાથી કેરીના પાકને ભારે નુકસાન થવાની પણ સંભાવના છે. અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા વિસ્તારોમાં કેસર કેરીનાબગીચા આવેલા છે અને તેમાં મોટા પાયે કેરીનું ઉત્પાદન થાય છે.
Advertisement
Advertisement
માવઠાની આગાહીથી ખેડુતો ચિંતિત
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીને પગલે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. તેમા વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં કુલ એક લાખ હેક્ટરથી વધારે જમીન પર બાગાયતી પાક કેરીનો પાક થતો હોય છે. હાલ આંબા ઉપર મોર આવવાના શરુ થઈ ગયા છે. એવા સમયે માવઠાની આગાહીથી ખેડુતો ચિંતામાં આવી ગયા છે. કેરીના પાકને તેમજ ઘઉંના પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે.
કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ માવઠાની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર, પોરબંદર, કચ્છ, જૂનાગઢ, અમરેલીમાં માવઠું થવાની સંભાવના છે. તા. 4,5 અને 6 માર્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત ત્રણ દિવસ માવઠા થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીથી હાલ ખેડુતોની ચિંતા વધી ગઈ છે. તેમાં પણ ખાસ કરીને કેરીના પાકને નુકશાન થવાની ભીતિ છે.
Advertisement