કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે આ લોકો ક્યારેય ભવિષ્યની વાત કરતા નથી અને હંમેશા પોતાની નિષ્ફળતા માટે બીજાને દોષ દે છે. અમેરિકા પહોંચેલા રાહુલ ગાંધી ન્યૂયોર્કના જેવિટ્સ સેન્ટરમાં વિદેશમાં રહેતા ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે ઓડિશા ટ્રેન અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે 60 સેકન્ડનું મૌન પણ પાળ્યું હતું.
Advertisement
Advertisement
અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા દેશમાં એક સમસ્યા છે. ભાજપ અને આરએસએસ ભવિષ્ય જોઈ શકતા નથી. ટ્રેન દુર્ઘટના કેમ થઈ એમ તેમને પૂછવામાં આવે તો તેઓ કહેશે કે 50 વર્ષ પહેલા કોંગ્રેસે આ કર્યું હતું. તેમની પહેલી પ્રતિક્રિયા ભૂતકાળને જોવાની જ હોય છે. કોંગ્રેસના શાસન દરમિયાન જ્યારે ટ્રેન દુર્ઘટના થઈ હતી ત્યારે કોંગ્રેસે એવું નહોતું કહ્યું કે આ અંગ્રેજોની ભૂલ છે તેથી આવું થયું. તેના બદલે તેમણે (તત્કાલીન રેલવે મંત્રી) રાજીનામું આપી દીધું હતું.
ન્યૂયોર્કના જેવિટ્સ સેન્ટરમાં વિદેશમાં રહેતા ભારતીયોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે મારો ઈરાદો તમારી સાથે સંબંધ બાંધવાનો છે જ્યાં તમે મને કહી શકો કે ‘રાહુલ અમને એવું લાગે છે… રાહુલ, તમારે અમેરિકા સાથે આ પ્રકારના સંબંધ રાખવા જોઈએ’ …’. હું શું માનું છું તે તમને જણાવવામાં મને કોઈ રસ નથી. હું અહીં તમારી સાથે ‘મન કી બાત’ કરવા નથી માંગતો. પરંતુ, તમારા મનમાં શું છે તે જાણવામાં મને રસ છે.
ભાજપ અને સંઘ પર ફરી એકવાર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં આ દિવસોમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. એક છે જેનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ અને બીજું જેનું પ્રતિનિધિત્વ ભાજપ અને આરએસએસ કરે છે. આ લડાઈને સરળ શબ્દોમાં સમજાવીએ તો એક તરફ અમારી વિચારધારા મહાત્મા ગાંધીની છે અને બીજી તરફ નાથુરામ ગોડસેની છે.
Advertisement