દિલ્હીની ચૂંટાયેલી સરકાર અને અમલદારશાહી વચ્ચેની ખેંચતાણનો અંત આવતો હોય તેમ લાગતું નથી. મંગળવારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની પ્રથમ બેઠક બાદ મુખ્યમંત્રીએ કેન્દ્ર અને નોકરશાહી પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ બીજેપી પર અમલદારશાહી દ્વારા દિલ્હી સરકાર ચલાવવાનું ષડયંત્ર રચવાનો સીધો આરોપ પણ લગાવી દીધો. મુખ્યમંત્રીના મતે દિલ્હીમાં ચૂંટાયેલી સરકારનું નહીં, અધિકારીઓનું ચાલશે. અધિકારીઓ ચૂંટાયેલી સરકાર ચલાવશે તેવું દેશના ઈતિહાસમાં પહેલીવાર બનશે.
Advertisement
Advertisement
બીજી તરફ ઓથોરિટીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારે વટહુકમ દ્વારા ચૂંટાયેલી સરકારના મંત્રી અને મુખ્યમંત્રી એટલે કે કેબિનેટથી ઉપરના અધિકારીની નિમણૂક કરી છે. નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીમાં મુખ્યમંત્રીના નિર્ણયને ફેરવી નાખવા માટે બે અધિકારીઓને મુખ્યમંત્રીની ઉપર મૂકવામાં આવ્યા છે. હવે દરેક વિભાગમાં અંતિમ નિર્ણય મંત્રીનો નહીં પરંતુ વિભાગના સચિવનો રહેશે. સાથે જ કેબિનેટનો કયો નિર્ણય સાચો છે એ પણ મુખ્ય સચિવ નક્કી કરશે. તમામ નિર્ણયો અધિકારીઓ દ્વારા લેવામાં આવશે અને તેમના પર સીધું કેન્દ્ર સરકારનું નિયંત્રણ રહેશે. આ રીતે દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ ભાજપ પાછલા બારણે દિલ્હી સરકાર ચલાવવા માંગે છે.
હવે LG કેબિનેટના નિર્ણયને પણ બદલી શકશે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેબિનેટ ચૂંટાયેલી સરકારની સર્વોચ્ચ સંસ્થા હોય છે. મંત્રીમંડળમાં તમામ મંત્રીઓ હોય છે અને મુખ્યમંત્રી અધ્યક્ષ હોય છે. મુખ્ય સચિવ નક્કી કરશે કે કેબિનેટના નિર્ણયો સાચા છે કે ખોટા. આ પછી મુખ્ય સચિવ એલજીને ભલામણ કરશે અને એલજી કેબિનેટના કોઈપણ નિર્ણયને બદલી શકશે. એલજી કેબિનેટના કોઈપણ નિર્ણયને ઉલટાવી શકે તેવી સત્તા બંધારણે પણ નથી આપી. મુખ્યમંત્રીનો આરોપ છે કે કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા બંધારણમાં જ ફેરફાર કરી નાખ્યો છે.
મારા ખુલાસાનો જવાબ આપ્યા વિના ફાઇલ સીધી LGને મોકલી
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે મંગળવારની બેઠકના લગભગ 15 દિવસ પહેલા તેમની પાસે એક ફાઇલ આવી હતી. તે ફાઈલમાં તેઓ એક અધિકારીને સસ્પેન્ડ કરવા માંગતા હતા. ફાઇલ વાંચ્યા બાદ ત્રણ-ચાર ખુલાસા અંગે જવાબ માંગવામાં આવ્યા હતા. આમ છતાં તે ફાઈલ ફરીથી મને પરત કરવામાં આવી ન હતી. તે ફાઇલ સીધી એલજી પાસે જતી રહી. તે ફાઇલ પર લખવામાં આવ્યું હતું કે ઓથોરિટીના 3માંથી 2 સભ્યોની સહમતિ થઈ છે. તેમાં એક સભ્યની સંમતિ નથી. તેથી ફાઈલ મંજૂર કરી દેવામાં આવી હતી.
આવા કિસ્સામાં હંમેશા તે બંનેની સંમતિ રહેશે, કારણ કે બંને કેન્દ્ર સરકારના અધિકારી છે અને હું એકલો છું.
મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ આ તમામ બાબતોને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે. સાથે જ જ્યારે આ વટહુકમ રાજ્યસભામાં વિધેયકના સ્વરૂપમાં આવશે ત્યારે તેને પસાર થવા દેવા નહી દઈએ. ઓથોરિટીની બીજી બેઠક 28 જૂને ફરીથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવવામાં આવી છે.
Advertisement