ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉનાની મુલાકાત લેવાના છે. સીઆર પાટિલના કાર્યક્રમને પગલે લોકો ભેગા કરવા માટે ઉના બંધનું એલાન કરવામાં આવ્યુ છે. લોકોને પોતાનો વેપાર-ધંધો બંધ રાખવા માટે કહેવામાં આવ્યુ છે જેને કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટિલ 3 ઓક્ટોબરે સોમવારના રોજ ઉના શહેરમાં પધારતા હોય તેઓના સ્વાગત તથા કાર્યકર્તા મહાસમ્મેલનમાં વેપારી ભાઇઓને ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ ફતવો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉના સમસ્ત વેપારી એસોશિએન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને ઠેર ઠેર જાહેર નોટિસ મારવામાં આવી છે.
આ સાથે જ નોંધ પણ આપવામાં આવી છે કે, દરેક વેપારી ભાઇઓએ ચા, પાન, લારી ગલ્લાવાળા તેમજ નાના-મોટા દરેક વેપારીભાઇઓ કામધંધા વેપાર બપોરે 1 વાગ્યા સુધી બંધ રાખવા જાહેર અપીલ કરવામાં આવે છે.
Advertisement