અમદાવાદઃ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એક વખત ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે. આ દરમિયાન વિજળી પડવાના કારણે બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મંગળવારે નવસારી, કચ્છ, તાપી, સુરત સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજના ડુંગર ચીખલી ગામે તથા બારડોલીના બાબલા ગામે વીજળી પડવાની ઘટનામાં બે મોત પણ નોંધાયા છે.
Advertisement
Advertisement
મહારાષ્ટ્ર તથા રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરની ગુજરાત પર પડી રહી છે.
હવામાન વિભાગ દ્વારા પણ મંગળવારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આજે હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે ભારે વરસાદ થવાની આગાહી સાથે ખેડૂતોને નુકસાન થવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
આજથી આગામી ચાર દિવસ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીમાં એકાદ ડિગ્રીનો ફેરફાર થવાની સંભાવના પણ હવામાન વિભાગે મંગળવારે વ્યક્ત કરી હતી.
આગામી દિવસોમાં કેવી ગરમી રહેશે તે અંગે પણ અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, હીટવેવની કોઈ સંભાવના નથી, ઘણાં ભાગોમાં સામાન્ય તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. તેમણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
Advertisement