ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના મુસ્લિમ ટોપીવાળા બેનર લગાવવામાં આવ્યા. બૌદ્ધ ધર્મના કાર્યક્રમમાં તેમના મંત્રીની હાજરીમાં રામ-કૃષ્ણને ન માનવાની શપથ લેવામાં આવી તેના બદલામાં મુસ્લિમોના પહેરવેશમાં અરવિંદ કેજરીવાલને ચિતર્વા પાછળનું તર્ક શું છે? શું દેશના બીજા નંબરની આબાદીમાં રહેલા તમામ મુસ્લિમો ખરાબ છે? શું મુસ્લિમ સમાજ સંબંધ રાખવા લાયક નથી? મુસ્લિમ સમાજ આગળ આવે અને પ્રગતિ કરે તેવો વ્યક્તિ પણ ખરાબ છે? મુસ્લિમો પ્રત્યે સોફ્ટ કોર્નર રાખતી પાર્ટીને વોટ આપવો પણ સમસ્ત હિન્દુઓ માટે ખતરો છે? આવું જ કંઇક ગુજરાતમાં સત્તાધારી પાર્ટી કહેવા માંગે છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં પાછલા 27 વર્ષમાં સત્તામાં બેસેલી સરકારે મુસ્લિમોનું એટલી હદ્દે ખરાબ ચિત્રણ કરી નાંખ્યું છે કે આજની નવી પેઢી તો આખા સમાજને વિલન જ સમજતી હશે. ગુજરાતમાં રીતસરના બે ભાગલા પાડી દેવામાં આવ્યા છે. હવે તો નફરત ફેલાવવા માટે એક કદમ આગળ વધવામાં આવ્યું છે. તહેવારોમાં ઓળખ પત્ર દેખવામાં આવી રહ્યાં છે. એક સમયે ભારતની ખુબસુરત તસવીરો સામે આવતી હતી, જેમાં તહેવારોમાં બધા જ ધર્મના લોકોને આવકારવામાં આવતા હતા. આ બધી નફરત વચ્ચે અમે તેમને કેટલીક સ્ટોરીઓ જણાવવા જઇ રહ્યાં છીએ, તે પછી તમારે વિચારવાનું રહેશે કે તમારે કેવું હિન્દુસ્તાન જોઇએ છે પ્રેમભર્યું કે નફરતભર્યું.
મોહમ્મદ માનિક પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં દૂર્ગા વિસર્જન જોવા માટે ગયા હતા. લોકો દૂર્ગાજીની પ્રતિમાને વિસર્જિત કરી રહ્યાં હતા અને અચાનક નદીમાં પુર આવી ગયું અને લોકો તણાવવા લાગ્યા.
મોહમ્મદ માનિકે દૂર્ગા વિસર્જનમાં ડૂબતા 10 લોકોના જીવ બચાવ્યા
28 વર્ષના મોહમ્મદ માનિક વર્ષોથી વિસર્જનમાં હાજરી આપતા આવ્યા છે. આ વખતે પણ તેઓ વિસર્જન જોવા માટે ગયા હતા. નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું અને લોકો તણાવા લાગ્યા. આમ તો ત્યાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ હતી પરંતુ મોહમ્મદ માનિક પોતાના જીવની ચિંતા કર્યા વગર નદીમાં કૂદી પડ્યા. આઠ લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. પરંતુ મોહમ્મદ માનિકે 10 લોકોના જીવ બચાવી લીધા.
આવા સમયે જ્યારે ગરબાથી લઇને દૂર્ગા પૂજા પંડાલોમાં જતા મુસ્લિમોના ઓળખ પત્ર દેખવામાં આવી રહ્યાં છે, જલપાઇગુડીની આ ઘટના આપણને શું કહે છે?
જે લોકો એવું કહે છે કે મુસલમાનો હિન્દૂ તહેવારોમાં કથિત લવ જેહાદ માટે આવે છે તેમને શું તે વાત સમજમાં આવશે કે મોહમ્મદ માનિક દૂર્ગા વિસર્જનમાં કેમ જાય છે અને તેવા લોકોની ધમકીઓના ડરથી આ વખતે ન જતા તો 10 હિન્દુઓના જીવ કેવી રીતે બચતા હોત? ખેર, નફરતીઓની ચાલશે તો હિન્દુ-મુસ્લમાન શું હિન્દુસ્તાન જ બચશે નહીં, કેમ કે હિન્દુસ્તાનનું રમણીય બગીચું બધા ફુલોથી જ ખીલેલું છે.
એકબીજાના તહેવારોને મળીને એકતાપૂર્ણ રીતે મનાવવાની ખાસિયતના રૂપમાં ભારતનું વર્ણન કરવામાં આવે છે, વિડમ્બના છે કે આ ખાસીયતમાં હવે કેટલાક લોકોને ખામીઓ નજરે આવવા લાગી છે. હિન્દુ વડાપ્રધાન જ્યારે મુસ્લિમોને ઈદની શુભેચ્છા પાઠવે છે અને મુસ્લિમ રાષ્ટ્રપતિ જ્યારે દશેરાની શુભેચ્છા આપે છે તો દેશની એકતામાં અખંડિતતાના દર્શન થાય છે.
હિન્દૂ વર્સેસ મુસલમાનના રાજકીય એજન્ડમાં એજન્ટનું કામ કરી રહેલી ગોદી મીડિયાનો અસલી ચહેરો જોવો હોય તો ગૂગલ પર જઇને મોહમ્મદ માનિક સર્ચ કરજો. મોટા ભાગની મીડિયા સંસ્થાઓમાં આ સમાચાર જોવા મળશે નહીં. જ્યારે નફરત ફેલાય તેવી કોઈ સ્ટોરી ચેક કરી લેજો, અલગ-અલગ એંગલમાં મરી-મસાલા ઉમેરીનો સંખ્યા બંધ સ્ટોરીઓ તમને મળી રહેશે.
ગોદી મીડિયા અને કેટલીક હિન્દુ હિત રક્ષક સંગઠનો પોતાનું અને રાજકીય નેતાઓનું સ્વાર્થ સાધવ આખા હિન્દુ સમાજને બદનામ કરવાના કામમાં લાગ્યા છે. તેમને પોતાને પણ સ્વપ્ને ખ્યાલ હશે નહીં કે તે પોતાની આગામી પેઢીને જ હિંસક બનાવવાની સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. આવા સંગઠનો બાળકોમાં બાળપણથી જ એક વિશેષ સમુદાયો અંગે નફરત ભરવાનું કામ કરી રહ્યાં છે, જે ખુબ જ ભયંકર સાબિત થઇ શકે છે. ભવિષ્યમાં હિન્દુ ધર્મનું મૂળ સ્વરૂપ બદલાઇ જશે. હિન્દૂ ધર્મના મૂળમાં માનવજાત માટે પ્રેમ-ભાવના રહેલી છે, પરંતુ ગણ્યાં ગાઠ્યા લોકો પોતાની સત્તા લાલશામાં તે ખત્મ કરવામાં લાગ્યા છે. જો આવું જ ચાલું રહ્યું તો શાંતિ-પ્રેમ-કરૂણા જેવા કર્મ હિન્દુ સમાજમાંથી ખત્મ થઇ જશે.
કિડની બ્રધર્સની સ્ટોરી
મોહમ્મદ માનિકની સ્ટોરી દર્શાવે છે કે હિન્દૂ હોય કે મુસલમાન, પહેલા તે માનવી છે, જે બીજા માણસની ચિંતા કરે છે અને કરવી જોઈએ. કેટલાક દિવસ પહેલા ક્વિટે એક સ્ટોરી શેર કરી હતી, જેમાં એક વ્યક્તિને કિડનીની જરૂરત હતી. ન મળતી તો તે બચી શક્તો નહીં.
બસમાં એક અજાણ્યા વ્યક્તિએ પૂછ્યું- ભાઈ કેમ આટલો ઉદાસ છે?
પહેલા વ્યક્તિએ કહ્યું- કિડની જોઈએ, મળી રહી નથી? (किडनी चाहिए, मिल नहीं रही?)
બીજા વ્યક્તિએ કહ્યું- હું આપી દઇશ (मैं दे देता हूं.)
આ બંનેને એકબીજાના નામની પણ ખબર નહતી. એકબીજાના ધર્મ અંગે પણ કંઇ જ જાણતા નહતા. ન જાણવાની કોઈ જરૂરત સમજતા હતા. બીજો વ્યક્તિ જેનું નામ અશરફ હતું, તે પહેલા વ્યક્તિને પોતાની એક કિડની આપી દે છે. પહેલા વ્યક્તિનું નામ કન્હૈયાલાલ હતું. કન્હૈયાલાલથી જ્યારે વાત કરવામાં આવી તો તેમને કહ્યું કે તેમના માટે તો અશરફ જ ભગવાન છે કેમ કે જ્યારે બધા દરવાજા બંધ થઇ ગયા ત્યારે અશરફે જ પોતાનો હાથ વધાર્યો.
ડાન્સ જ મારૂ ધર્મ છે
એક સિમરન જહાં પણ છે. રામલીલામાં સીતાની ભૂમિકા ભજવે છે. તેમને જણાવ્યું કે જ્યારે કોઈ પૂછે છે કે મુસલમાન થઇને પણ સીતાનો રોલ કેમ ભજવો છો, તો તે કહે છે કે મારા માટે ડાન્સ જ મારૂ ધર્મ છે.
પરાગ યાદવ-રજિયા ખાતૂનની સ્ટોરી
હિન્દૂ પરિવારની પણ સ્ટોરી છે, જેને દંગાખોરોથી પોતાના પડોશી મુસ્લિમોનો જીવ બચાવવા માટે પોતાના આખા પરિવારને ખતરામાં નાંખી દીધો. 6 ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી. તેના બીજા દિવસે રમખાણો ભડકી ઉઠ્યા. ત્યારે રજિયા ખાતૂનના પરિવારને પરાગ યાદવે પોતાના ઘરમાં આશ્રય આપીને તેમના પરિવારનો જીવ બચાવી લીધો.
તેઓ કહે છે કે મને યાદ છે કે મારા પિતાની એક મુસ્લિમ બહેન હતી. દર વર્ષે બકરી ઇદ પર સવારે નવ વાગે તે અમારા ઘર પર પહોંચી જતી હતી. જ્યારે પણ અમે તેમને દરવાજા પર દેખ્યા ત્યારે ઘડિયાલમાં સવારના નવ જ વાગેલા જ રહેતા હતા. મને મારા નાનીના ગામની યાદ છે, જ્યાં મુસ્લિમોની ઈદ ત્યાર સુધી થતી નથી, જ્યાર સુધી તે હિન્દુઓમાં સેવ અને ખીર વહેંચી ના દે. તે પછી મારો મિત્ર સલીમ પણ છે, જે ઈદના દિવસે દોસ્તોના ઘરે મીઠાઇ અને બિરયાની પહોંચાડવામાં આખો દિવસ પસાર કરી દે છે.
તમને ઓળક પત્ર દેખતો હિન્દુસ્તાન જોઇએ કે પછી નામ પૂછ્યા વગર જ કિડની આપી દેતું હિન્દુસ્તાન
આ સ્ટોરીને ધ્યાનથી વાંચો અને તે તસવીરોને જૂઓ જેમાં ‘ભગવા બ્રિગેડ’ પોતાના આકાઓના હુકમથી ગરબાના ગેટો પર લોકોના ઓળખ પત્ર ચેક કરી રહ્યાં છે. ઓળખ પત્રમાં તેમના અનુકૂળ નામ દેખવા મળી રહ્યો નહોય તો તેમના સાથે મારપીટ કરી રહ્યાં છે. પોલીસ તમાશો જોઈ રહી છે. અપરાધ નહીં અપરાધની આશંકા પર જ પકડીને લઇ જઇ રહી છે.
તમે પોતે નક્કી કરો તમારે ક્યો હિન્દુસ્તાન જોઈએ? મોહમ્મદ માનિક, અશરફ-કન્હૈયાલાલ, સિમરજન જ્હાં, સંતોષ-સલીમવાળો અથવા પછી ઓળખ પત્ર ચેક કરનાર? કપડાથી ઇન્ડિયાની ઓળખ કરશો કે તેના અંદરની આત્માને ઓળખવાની કોશિશ કરશો, વિચારી લો, નક્કી કરી લો અને તે પ્રમાણે વર્તન કરો. તમારા નિર્ણય પર હિન્દુસ્તાનનું ભવિષ્ય કઇ દિશામાં જશે તે નક્કી થઇ જશે. માત્ર બે જ વિકલ્પ છે તમારી પાસે નફરત અને પ્રેમ… તમે જે પસંદ કરશો તે સામેથી પણ તમને મળશે…
Advertisement