નવી દિલ્હી: બિઝનેસમેન ગૌતમ અદાણી અને અમેરિકન કંપની હિંડનબર્ગના રિપોર્ટને લઇને રાજકારણ ગરમાયેલુ છે. સંસદથી સડક સુધી હંગામો ચાલુ છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દા પર પોતાની વાત મુકી હતી. આ દરમિયાન તે વર્ષ 2023માં 9 રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2024 લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરી હતી. અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તમામ સવાલના જવાબ આપ્યા હતા.
Advertisement
Advertisement
અદાણી મુદ્દા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી
સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યુ, “સુપ્રીમ કોર્ટે આ મામલે સંજ્ઞાન લીધુ છે, જેને કારણે ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ ભાજપ માટે છુપાવવા કે ડરવા જેવું કંઇ નથી.”
જાણો શું છે હિંડનબર્ગ-અદાણી સાથે જોડાયેલી ઘટના
25 જાન્યુઆરીએ અદાણી ગ્રુપની કંપનીઓ વિશે અમેરિકાની હિંડનબર્ગ કંપનીએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટનું ટાઇટલ છે- ‘દુનિયાનો ત્રીજો સૌથી અમીર માણસ કઇ રીતે કૉર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી કરી રહ્યો છે.” જેમાં આરોપ લગાવવામાં આવ્યા કે અદાણી ગ્રુપે શેર માર્કેટમાં હેરાફેરી કરીને પોતાના શેરની કિંમત વધારી છે. અદાણીએ પોતાની હેસિયત કરતા વધુ લોન લઇ રાખી છે. ગ્રુપની કેટલીક કંપનીઓએ તો પોતાના શેરને ગિરવી મુકીને લોન લીધી છે.
કંપનીએ જાણી જોઇને આ રિપોર્ટ અદાણી ગ્રુપની કંપનીઓના શેર તોડવા માટે જાહેર કર્યો હતો, જેને કારમે હિંડનબર્ગે અદાણી ગ્રુપની કંપનીઓ પર શૉર્ટ પોઝિશન લઇ રાખી છે. નાથન એન્ડરસનની કંપનીએ અદાણી ગ્રુપની કંપનીઓ પર આ શોર્ટ પોઝિશન દાંવ રમ્યો છે, જેની માટે પોતાના બે વર્ષની રિસર્ચને આધાર બનાવ્યો છે.
વિપક્ષ બુમો પાડે છે- કેન્દ્ર સરકાર તપાસ એજન્સીનો ઉપયોગ વિપક્ષ વિરૂદ્ધ કરી રહી છે, આ આરોપો પર અમિત શાહે કહ્યુ- તે (કોંગ્રેસ) કોર્ટ કેમ નથી જતી? જ્યારે પેગાસસનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો તો મે કહ્યુ હતુ કે પુરાવા સાથે કોર્ટ જાવો પરંતુ તેમણે આમ કર્યુ નહતુ.
BBC ડૉક્યૂમેન્ટરી પર અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે BBCની ડૉક્યૂમેન્ટરી પર કહ્યુ, “સત્ય જે હોય છે, તેની પર એક હજાર ષડયંત્ર રચી લો, કઇ થતુ નથી. તે સૂર્યની જેમ તેજસ્વી થઇને બહાર આવે છે. તેઓ મોદીજીની પાછળ 2002થી પડ્યા છે. દર વખતે મોદીજી મજબૂત બનીને, સત્યવાદી બનીને લોકોમાં વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે.”
PFI પર શું કહ્યું?
PFI કેડર પર ઘણા કેસો હતા, તેમણે ખતમ કરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે અટકાવી દીધું હતું. અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો હતો. PFI દેશમાં કટ્ટરતા અને ધર્માંધતા વધારવા માટેનું સંગઠન હતું, તેઓ આતંકવાદ માટે એક પ્રકારની સામગ્રી તૈયાર કરવાનું કામ કરતા હતા.
G20 પર શું કહ્યું?
જો મોદીજીના સમયમાં ભારતને G-20નું નેતૃત્વ મળ્યું છે અને G-20 સફળ છે તો મોદીજીને તેનો યશ મળવો જ જોઇએ, તે કેમ નથી મળતો? જો પ્રોડક્ટ સારી છે તો તેનું ધામધૂમથી માર્કેટિંગ કરવુ જ જોઇએ.
નૉર્થ ઇસ્ટમાં મનનું અંતર ઓછુ થયુ
પીએમ મોદીએ પૂર્વોત્તરના મનના અંતરને હટાવી દીધો છે. વડાપ્રધાને 8 વર્ષમાં 51 વખત આ વિસ્તારનો પ્રવાસ કર્યો છે. અમે ચલો પલટાઇનો નારો ત્રિપુરાની સ્થિતિ બદલવા માટે આપ્યો હતો અને આજે અમે સ્થિતિ બદલી નાખી છે. અમે સારૂ બજેટ આપ્યુ, હિંસાને ખતમ કરી, નશાના વેપાર પર શકંજો કસ્યો. ભાજપે પૂર્વોત્તરની ઓળખને મજબૂત કરી છે. ત્યા પ્રાઇમરી એજ્યુકેશન લોકલ લેંગ્વેજમાં આપવામાં આવી રહ્યુ છે. 2024 પહેલા પૂર્વોત્તરના રાજ્યના પાટનગરને રેલ અને એર કનેક્ટિવિટી મળી જશે. કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી એક સાથે આવી છે, તેમણે માનીન લીધુ છે કે તે એકલી ભાજપને હરાવી નથી શકતી. મતગણતરીના દિવસે બપોરે 12 વાગ્યા પહેલા ભાજપને ત્રિપુરામાં બહુમત મળશે અને સરકાર બનશે.
ભાજપનો કોઇ મુકાબલો નથી
મારૂ માનવુ છે કે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કોઇ મુકાબલો નથી. પીએમ મોદીએ જનતાનું પુરૂ સમર્થન મળ્યુ છે. દેશ એક તરફી મોદી સાથે આગળ વધી રહ્યો છે. નિર્ણય દેશની જનતાએ નક્કી કરવાનો છએ, હજુ સુધી તો લોકસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટીનું લેબલ જનતાએ કોઇને આપ્યુ નથી.
Advertisement