નવી દિલ્હી: રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાવતા કહ્યુ કે- 2023 મહત્વપૂર્ણ છે. 2023માં 9 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે અને આપણે લડવાની છે અને જીતવાની છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ કરીને જણાવ્યુ કે 2023 આપણા માટે મહત્વપૂર્ણ છે અને આપણે 9 રાજ્યમાં ચૂંટણી લડવાની છે. રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકારિણીને આહવાન કર્યુ કે ચૂંટણી માટે કમર કસી લો, આપણે તમામ 9 રાજ્યમાં જીત મેળવવાની છે.
Advertisement
Advertisement
રવિશંકર પ્રસાદે કહ્યુ કે દેશભરના 100 લોકસભા વિસ્તારમાં 72 હજાર બૂથ ચિન્હિત કરવામાં આવ્યા છે જ્યા ભાજપ નબળી હતી અને જ્યા આપણે પહોચવાનું હતુ પરંતુ આપણે 1 લાખ 30 હજાર બુથ સુધી પહોચ્યા અને પાર્ટીની નીતિનો પ્રસાર કર્યો. ભાજપના નેતાએ કહ્યુ કે દયાનંદ સરસ્વતીના 200 વર્ષ પૂર્ણ થવા પર 13 ફેબ્રુઆરીએ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સરસ્વતીના આદર્શો પર ચાલતા વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં અંતિમ છેડા પર ઉભેલા વ્યક્તિને સશક્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે. ગુજરાતની જીત માટે અન્ય રાજ્યોએ પણ ગુજરાત પાસેથી શીખવું જોઈએ. હિમાચલ માટે પણ કહ્યું કે, અમે રિવાજ બદલવા ગયા હતા પરંતુ રિવાજ બદલી શક્યા ન હતા, પરંતુ અમારા અને કોંગ્રેસમાં થોડો તફાવત હતો.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ માર્ગ સ્થિત પટેલ ચોકથી લઇને નવી દિલ્હી મહાનગરપાલિકા પરિષદ (NDMC)ના કન્વેશન સેન્ટર સુધી રોડ શો કર્યો હતો. ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક NDMC કન્વેશન સેન્ટરમાં યોજાઇ રહી છે. એક કિલોમીટર સુધીના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા રસ્તાની બન્ને બાજુ જોવા મળ્યા હતા. રસ્તા પર અનેક જગ્યાએ ભાજપના બેનર અને ઝંડા લગાવવામાં આવ્યા હતા.
Advertisement