ઉના તાલુકાના ગરાળ ગામની એક ઘટનાએ પર્યાવરણ પ્રેમીઓ અને લોકોને ચોંકાવી દીધા છે. ગામની સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના ધામાથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાયેલો જોવા મળે છે. શિકારની શોધમાં દિપડો નાળીયેરી પર ચડી ગયો ત્યારે સ્થાનિક લોકોમાં આ જંગલી પ્રાણીને પાંજરે પૂરવાની માંગ ઉઠી હતી.
તાલુકાના ગરાળ અને આસપાસના વિસ્તારોમાં દિપડા સહિતના વન્યપ્રાણીઓના આંટાફેરા અને વસવાટ વધુ જોવા મળે છે. આ વિસ્તારમાં આંબાના બગીચા વધુ હોવાથી હાલ કેરી લેવાનું કામ ચાલી રહ્યું છે.
દરમિયાન કોઠારીયા વાડી વિસ્તારમાં દિવસ દરમિયાન બે દિપડા શિકારની શોધમાં નાળિયેરી પર ચડી ગયા હતા અને શિકાર કરવાની કોશીશ કરી રહ્યા છે.
લોકો પણ ચિંતામાં મૂકાઈ ગયા હતા કે આ ખુંખાર જનાવર દિવસ દરમિયાન કોઈનો ભોગ ના લે. સ્થાનિકોએ આ અંગે વનતંત્રને પણ આ જંગલી પ્રાણીને પાંજરે પૂરવાની માંગી ઉઠાવી હતી.
Advertisement