ડેડિયાપાડાઃ ડેડીયાપાડા ખાતે કાર્યકર્તાઓના સંમેલનમાં ગુજરાત વિધાનસભાની ડેડિયાપાડા બેઠકની હારનો મુદ્દો ઉછળ્યો હતો. ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ડેડિયાપાડા ખાતે બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓનું એક સંમેલન યોજાયું હતું.જેમાં ગુજરાત વિધાનસભાની ડેડિયાપાડા બેઠક હારનો મુદ્દો ઉછળ્યો હતો.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જ પીઠ પાછળ ખંજર ભોંકનાર ગદ્દારોને લીધે ડેડિયાપાડા બેઠક હાર્યા છે એવો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
Advertisement
Advertisement
મનસુખ વસાવાએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડામાં જેણે પક્ષ વિરૂદ્ધ કામ કર્યું એ જ લોકો પ્રદેશમાં મારી વિરૂદ્ધ રજૂઆત કરે છે. જે લોકો મારી વિરુદ્ધ બેફામ બોલ્યા છે એ મારી માફી નહી માંગે ત્યાં સુધી છોડીશ નહિ.જો મને કોઈ છંછેડશે તો હું કોઈને છોડવાનો નથી એટલું સમજી લેજો. એટલું યાદ રાખજો અભિમન્યુ યુધ્ધના 6 કોઠા જાણતો હતો પણ હું 7 કોઠા જાણું છે.
વસાવાએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડામાં જેણે પક્ષ વિરૂદ્ધ કામ કર્યું એ જ લોકો પ્રદેશમાં મારી વિરૂદ્ધ રજૂઆત કરે છે. ભાજપના જ પીઠ પાછળ ખંજર ભોંકનાર ગદ્દારોને લીધે ડેડીયાપાડા બેઠક હાર્યા હતા. આઈ.બી એ દિલ્હીમાં રિપોર્ટ કર્યો છે કે ભાજપના જ કેટલાક લોકોએ ડેડિયાપાડામાં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપની મિટિંગમાં આપણા કેટલાંક નેતાઓએ મને, ઘનશ્યામ પટેલને અને નીલ રાવને ખોટા ચીતર્યા છે. હું છું તો જ ભાજપ છે એવું માનનારા ભૂલી જજો, પાર્ટીને બધું ખબર છે કોણે કેવું કામ કર્યું છે.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા બેઠક આપણા જ લોકોએ નુકશાન પહોચાડી ભાજપને હરાવી છે. ભાજપના નારાજ લોકો પડદા પાછળ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા હતા.વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડામાં જેણે પક્ષ વિરૂદ્ધ કામ કર્યું એ જ લોકો પ્રદેશમાં મારી, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને મહામંત્રી નીલ રાવ વિરૂદ્ધ ખોટી રજૂઆત કરતા હતા.મને આવનારી લોકસભા ચૂંટણીમાં પાડી દેવાનો એ લોકો પ્લાન બનાવે છે, પણ એની માટે એમણે બીજો જન્મ લેવો પડશે. જે લોકો મારી વિરુદ્ધ બેફામ બોલ્યા છે એ મારી માફી નહિ માંગે ત્યાં સુધી હું એમને છોડીશ નહિ.
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ટીકીટ મને મળશે કે કેમ એની કોઈ ગેરંટી નથી.હુ ટિકિટની માંગણી કરતો પણ નથી, મને ટિકિટનો મોહ પણ નથી. હું તો નવા કાર્યકરોને આગળ કરવામા માનું છું. હું ભરૂચ લોકસભામા આવતો નથી છતાં કેમ મને કોઈ કાપતુ નથી, નેતાઓની ભુલને કારણે જ એમની ટિકીટ કપાય છે. જેની ટિકીટ કપાઈ છે એણે જ ડેડિયાપાડામાં ભાજપને હરાવવાનું કામ કર્યું છે.
Advertisement