ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના પ્રવાસે છે. ખડગેએ આ દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા ગુજરાત મૉડલને ફેલ ગણાવ્યુ હતુ.
Advertisement
Advertisement
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે, “આ ચૂંટણી ગુજરાતની જનતાની ચૂંટણી છે. ગુજરાતની જનતા એટલી ઇન્ટેલિજન્ટ છે કે તમામ દેશનું માર્ગદર્શન કરે છે. સ્કિલ ડેવલપમેન્ટ હવે આવ્યુ હશે સૌથી વધુ સ્કિલ ક્યાય છે તો ગુજરાતમાં છે. બિઝનેસ, પ્રોફેશન, સાયન્સ અને ટેકનોલોજીમાં છવાયેલા છે. આ બધી વસ્તુ ગુજરાતમાં તમને મળશે. મને આ સમજમાં નથી આવતુ કે મહાત્મા ગાંધીના રાજ્યમાં સરદાર વલ્લભભાઇ પટેલ કેટલાક લોકો વારંવાર તેમનું નામ લઇને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, તમે એમ કહો છો કે કોંગ્રેસે 70 વર્ષમાં કઇ કર્યુ નથી, આ તો તેમણો કોમન ડાયલોગ છે, ઘણા જુમલા છે, દરેક જગ્યાએ ભાષણ કરે છે, આ દેશને કોઇએ બનાવ્યુ છે તો તે કોંગ્રેસે બનાવ્યુ છે અને તેનું ફળ તમને મળી રહ્યુ છે. અમારા લોકો શૂળી પર ચઢી ગયા, 20-20 વર્ષ જેલમાં રહ્યા, યૂનિવર્સિટી-સ્કૂલ છોડીને સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડીને આ દેશને આઝાદી અપાવી, તેનો ઉલ્લેખ તો તમે ક્યારેય કરતા જ નથી.” ખડગેએ ગુજરાત ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, હું એમ જ કહી રહ્યો છું કે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે, કારણ કે મોદી-શાહથી બધા પરેશાન છે, ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે ભારતના નેતાઓની ફૌજ લગાવી છે, કોંગ્રેસ ગામે ગામ, બુથ-બુથ અને શહેરોમાં લડી રહી છે. બીજાની મજાક ઉડાવવી અને બીજા વિશે ખોટી વાતો કરવી તે યોગ્ય નથી.
ખડગેએ કહ્યુ કે, હું રેલ્વે મિનિસ્ટર હતો ત્યારે અમે ગુજરાતમાં ઘણુ કામ કર્યુ છે પણ ક્યારેય પ્રચાર કર્યો નથી. મે કર્યુ તેમ કહ્યુ નથી. દેશમાં ગુજરાત મૉડલની વાત થાય છે, તમને ફાયદો થાય છે માટે તમે ગુજરાત મૉડલની વાત કરો છો. ગુજરાત મૉલ શું છે, પાંચ લાખ સરકારી નોકરી ખાલી છે, 28 હજાર શિક્ષકની નોકરી ખાલી છે. કોંગ્રેસ હતી ત્યારે 10 હજાર કરોડ રૂપિયાનું દેવુ હતુ, 2022-23માં આ દેવુ વધીને 4 લાખ 60 હજાર કરોડ થવા જઇ રહ્યું છે, તેની માટે જવાબદાર કોણ હું પૂછવા માંગુ છું.
આ પણ વાંચો: ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોવિડ સમયે 3-4 લાખ લોકોના મોત થયા હતા, તેના આંકડા તમે છુપાવતા રહ્યા. તમારા મૉડલના મુખ્યમંત્રી હતા તેમણે કોઇ કામ ના કર્યુ તે તમારા ધ્યાનમાં આવ્યુ એટલે તમે બદલાવ લાવવાની જગ્યાએ મુખ્યમંત્રીને જ બદલી નાખ્યા. 6 વર્ષમાં ગુજરાતમાં કેટલા મુખ્યમંત્રી બદલાયા 3. અહી 6 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલાયા. 3 મુખ્યમંત્રી તમે બદલો છો તો તમે અહી કોઇ જ કામ નથી કર્યુ.
Advertisement