ગાંધીનગર: આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાની દિશામાં ભારતે એક મોટો કુદકો માર્યો છે. વડોદરામાં ટાટા અને એરબસ મળીને સી 295 ટ્રાન્સપોર્ટ વિમાન તૈયાર કરશે જેની માટે આ મહિનાના અંતમાં યૂનિટના નિર્માણની શરૂઆત થશે. આ વિમાન ભારતીય વાયુ સેનાનો ભાગ બનશે. આ જાણકારી આજે ડિફેન્સ સેક્રેટરી અજય કુમારે આપી છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન 30 ઓક્ટોબરે વડોદરામાં આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની આધારશિલા રાખવા જઇ રહ્યા છે. ડિફેન્સ સેક્રેટરી અનુસાર પ્લાન્ટમાં માત્ર સી 295નું જ નિર્માણ નહી થાય. અહી વાયુસેનાની જરૂરતોના હિસાબથી ભવિષ્યના નવા વિમાનોનું પણ નિર્માણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વડોદરામાં C-295 પરિવહન વિમાન Tata Advanced દ્વારા Airbusના સહયોગથી નિર્મિત C-295 પ્લાન્ટની આધારશિલા રાખશે. મહત્વપૂર્ણ છે કે 56, C-295 જૂના થઇ ચુકેલા એરક્રાફ્ટની જ જગ્યા લેશે.
યૂરોપની બહાર પ્રથમ વખત થશે આ વિમાનોનું નિર્માણ
આ પગલુ એટલુ મહત્વનું છે જેનાથી ખબર પડે છે કે આ પ્રથમ વખત હશે જ્યારે યૂરોપની બહાર આ વિમાનોનું નિર્માણ કરવામાં આવશે. ડિફેન્સ સેક્રેટરીએ આ જાણકારી આપી છે. આ વિમાનનું નિર્માણ એરબસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ મળીને કરશે. સપ્ટેમ્બર 2021માં જ ભારતે એરબસ સાથે 56 સી 295 ટ્રાન્સપોર્ટ વિમાનો માટે એક ડીલ કરી હતી, આ પુરી ડીલ 21 હજાર કરોડ રૂપિયાની હતી. સરકાર નવા વિમાનને જૂના થઇ રહેલા એવરો 748 વિમાનોને બદલવાની યોજના પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ સાથે આ પ્રથમ વખત હશે જ્યારે ભારતમાં ખાનગી કંપની મળીને વિમાનનું નિર્માણ કરશે.
સમજૂતિ અનુસાર એરબસ પહેલા 16 વિમાનોને તૈયાર સ્થિતિમાં સ્પેનની એસેમ્બલી લાઇનથી ભારત મોકલશે. આ 16 વિમાન આવતા 4 વર્ષમાં તબક્કાવાર મળશે. બાકી 40 વિમાનોનું નિર્માણ ટાટા એડવાન્સ સિસ્ટમ એરબસના સહયોગથી કરશે. ડીજીસીએએ આ પુરા પ્રોજેક્ટને ગત અઠવાડિયે જ મંજૂરી આપી દીધી છે.
શું છે વિમાનની ખાસિયત?
સી-295 સેન્ય અને રાહત કામ માટે વિશ્વાસપાત્ર વિમાન માનવામાં આવે છે. આ એક વખતમાં 71 સૈનિક અથવા પછી ઉપકરણો સાથે 50 પેરાટ્રૂપર્સને લઇ જઇ શકે છે. આ સાથે જ વિમાનની મદદથી દેશના તે વિસ્તારમાં પણ મદદ પહોચાડવામાં આવી શકે છે જ્યા ભારે વિમાન ઉતરી શકતા નથી. વિમાન માત્ર યુદ્ધની સ્થિતિમાં જ ઝડપથી સૈનિકોને નથી પહોચાડી શકતા પણ સાથે જ રાહત અને બચાવ અને ઘાયલોને બહાર કાઢવા જેવા મહત્વના ઓપરેશન પણ આસાનીથી પુરા કરી શકે છે. એરબસ અનુસાર, તેમની પાસે અત્યાર સુધી આ વિમાનોના 285 ઓર્ડર છે જેમાંથી તે 203 ડિલીવર કરી ચુકી છે. કંપની અનુસાર, વિમાન દ્વારા હુમલાખોર ક્લોજ એર સપોર્ટ, દરિયાઇ પેટ્રોલિંગ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ, અર્લી વોર્નિંગ સિસ્ટમ, એર ટૂ એર રીફ્યૂલીંગ, વીઆઇપી ટ્રાન્સપોર્ટેશન, બચાવ અને રાહત જેવા કેટલાક કામને અંજામ આપવામાં આવી શકે છે.
Advertisement