સુરત: તાપીની એક કોર્ટે ગાયની તસ્કરીની એક ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તાપીની સેશન્સ કોર્ટે ગાયની તસ્કરીના એક કેસમાં આજીવન કેદની સજા સંભળાવતા કહ્યુ કે ગાયની હત્યા બંધ થઇ જાય તો પૃથ્વીની તમામ સમસ્યાઓ ખતમ થઇ જશે. તાપી કોર્ટે સંસ્કૃતના કેટલાક શ્લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Advertisement
Advertisement
તાપી સેશન્સ કોર્ટે ગાયની તસ્કરીના કેસમાં આરોપી 22 વર્ષના મોહમ્મદ આમીન આરિફને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે ધર્મ, ગાયથી પેદા થાય છે કારણ કે ધર્મ વૃષભના રૂપમાં હોય છે અને ગાયનો પુત્ર વૃષભને કહેવામાં આવે છે. તાપી સેશન્સ કોર્ટના ન્યાયાધીસ એસવી વ્યાસે એમ પણ કહ્યુ કે ગાયના ગોબરથી બનેલા ઘરો પર પરમાણુ વિકિરણની પણ અસર થતી નથી. ગૌમૂત્ર પીવાથી કેટલીક ગંભીર બીમારી પણ સ્વસ્થ થઇ જાય છે.
જજે ગાયની તસ્કરીની ઘટનામાં નિર્ણય સંભળાવતા ગોહત્યા અને ઢોરની તસ્કરીની ઘટનાને સમાજ માટે શરમજનક ગણાવી હતી. સેશન્સ કોર્ટના જજ એસવી વ્યાસે પોતાના નિર્ણયમાં કહ્યુ કે ગાય માત્ર એક પશુ નથી પણ આ માતા છે. તેને માતાનું નામ આપવામાં આવ્યું છે, તેમણે એમ પણ કહ્યુ કે એક ગાય 68 કરોડ પવિત્ર સ્થળ અને 33 કોટિ દેવતાઓને જીવિત ગ્રહ છે.
તાપી સેશન્સ કોર્ટના જજે કહ્યુ કે જે દિવસે ગાયના લોહીનુંએક ટીપુ પણ પૃથ્વી પર નહી પડે, પૃથ્વીની તમામ સમસ્યાઓ હલ થઇ જશે અને પૃથ્વીની ભલાઇ સ્થાપિત થઇ જશે. ગુજરાતીમાં લખેલા પોતાના આદેશમાં તેમણે એમ પણ કહ્યુ કે વર્તમાનમાં 75 ટકા ગો-ધન નષ્ટ થઇ ગયુ છે અને હવે માત્ર 25% જ ગોધન બચ્યુ છે.
મહત્વપૂર્ણ છે કે ગો તસ્કરીની આ ઘટના 2020ની છે. વર્ષ 2020ની જુલાઇ મહિનામાં પોલીસે એક ટ્રકમાંથી 16થી વધુ ગાય અને ગોવંશ જપ્ત કર્યા હતા. આ ઘટનામાં મોહમ્મદ આરિફ અંજુમની ધરપકડ કરવામાં આવી હતી. ગો તસ્કરીના આરોપી મોહમ્મદ આરિફ અંજુમ વિરૂદ્ધ કોર્ટમાં આરોપ સાબિત થયા હતા અને દોષી સાબિત થવા પર હવે કોર્ટે સજા સંભળાવી છે.
Advertisement