સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગના વિદ્યાર્થીઓએ ખાઈ શકાય તેવું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવ્યું શીર્ષક વાંચીને બે ઘડી ચોંકી ન જતા પરંતુ આ સત્ય છે! હવે પ્લાસ્ટિક પણ ખાઈ શકાશે અને તે શરીને નુકસાન પણ નહીં પહોંચાડે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરે સંશોધન કરીને ખાઈ જવાય તો પણ નુકસાન ન થાય તેવું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવ્યું છે. જેનો ઉપયોગ ખાવાની ચીજોના પેકિંગ, દવાની કેપ્સુલ માટે કરી શકાશે. આજે લોકો રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે પણ વધુ પડતા પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણીય સમસ્યાઓ અનેક ઘણી વધી ગઈ છે. જેને પરિણામે જમીન પ્રદૂષિત થઈ રહી છે અને મહાસાગરોના જીવો મૃત્યુ પામી રહ્યા છે. હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં શાકભાજીના સ્ટાર્ચમાંથી ખાઈ શકાય તેવું પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે અને તેની કોઈ આડઅસર નથી. ફિઝિક્સ વિભાગના ડો.પ્રો.આઈ.બી.પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ શાકભાજી અને અનાજ પર રિસર્ચ કર્યું અને ઉપયોગમાં લેવાતા શાકભાજી અને અનાજમાંથી નીકળતા સ્ટાર્ચને ફેંકી દેવામાં આવે છે. તે બટાટાના સ્ટાર્ચ અને વિનેગરને મિક્સ કરીને અમુક ટેમ્પ્રેચર સુધી રાખીને પ્લાસ્ટિક બનાવ્યું છે. તેને સ્મૂધ કરવા દિવેલ ઉમેર્યું છે. આ જ રીતે ચોખા કે અન્ય શાકભાજીમાંથી નીકળતી સ્ટાર્ચ કે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ તેનો ઉપયોગ કરીને પણ આ પ્રકારના પ્લાસ્ટિક બનાવી શકાય છે. આ પ્લાસ્ટિકનો ઘણી વસ્તુઓમાં ઉપયોગ કરી શકાય છે, જેમ કે મેડિસીનમાં કેપ્સ્યુલમાં સૌથી વધુ આનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટિક શરીરમાં જાય તો પણ હાનિકારક નથી કારણ કે આ શાકભાજી અને અનાજમાંથી બનાવ્યું છે. પ્લાસ્ટિકમાં કલર પણ ઓર્ગેનિક વાપર્યા છે, જેમાં ગાજર-બીટ કે હળદરનો ઉપયોગ કર્યો છે.
Advertisement
Advertisement
Advertisement