નવી દિલ્હી: ગુજરાત રમખાણમાં ધરપકડ કરાયેલ તીસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કહ્યુ છે કે તેમની રેગ્યુલર બેલ પર હાઇકોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. અત્યારે તેમણે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
આદેશમાં કોર્ટે એમ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તીસ્તાએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. જ્યાર સુધી હાઇકોર્ટ રેગ્યુલર જામીન નથી આપતુ, તે દેશની બહાર જઇ શકતા નથી. બીજી તરફ તીસ્તાએ આ મામ્લે તપાસ એજન્સીઓને સતત સહયોગ આપવો પડશે. કોર્ટનું કહેવુ છે કે તે તીસ્તાને જામીન પર નથી છોડી રહ્યા, માત્ર જ્યાર સુધી હાઇકોર્ટ દ્વારા રેગ્યુલર જામીનનો ચુકાદો નથી આવતો, કોર્ટ દ્વારા તેમણે વચગાળાના જામીન આપવામાં આવી રહ્યા છે.
ક્યા કેસમાં તીસ્તાને મળ્યા જામીન
હવે જે કેસમાં આ સુનાવણી થઇ છે તે 2002ના ગુજરાત રમખાણ સાથે જોડાયેલો છે. તીસ્તા પર આરોપ છે કે તેને સાક્ષીને ભડકાવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી (હવે વડાપ્રધાન) નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવાના SITના રિપોર્ટને પડકાર આપનારી જાકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતા કહ્યુ હતુ કે તીસ્તા સેતલવાડ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં જોડાયેલી રહી હતી. કોર્ટે સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર તરફથી ખોટી એફિડેવિટ દાખલ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે, કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ તીસ્તા સેતલવાડને રાહત આપી છે. ગુરૂવારે પણ સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે તીસ્તા પર એવી કોઇ કલમ લાગી નથી જેને જામીન ના આપી શકાય. શુક્રવારે પણ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ કે તીસ્તાને વચગાળાના જામીન આપવામાં આવી શકે છે.
Advertisement