વેરાવળ: ભારતીય રેલ્વેએ સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવુ રૂપ ટ્વિટર પર શેર કર્યુ છે. આ જોવામાં સોમનાથ મંદિર જેવુ જ દેખાઇ રહ્યુ છે. રેલ્વે સ્ટેશનની બિલ્ડિંગને મંદિર જેવી વાસ્તુશિલ્પ ડિઝાઇન આપવા માટે 157.4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
રેલ્વે તરફથી જાણકારી આપવામાં આવી છે કે સાઇટ સર્વે અને પાયાની તપાસનું કામ લગભગ પૂર્ણ થઇ ગયુ છે. સ્ટેશન તૈયાર થવા પર મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
12 જ્યોતિર્લિગોમાંથી એક સોમનાથ મંદિરમાં
ભગવાન શિવના 12 જ્યોતિર્લિગોમાંથી એક સોમનાથ મંદિરમાં છે. આ રેલ્વે સ્ટેશનથી 1.7 કિલોમીટર દૂર છે. મંદિર અરબ સાગરના કિનારે વસેલુ છે. અહી દર વર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શન માટે પહોચે છે. સોમનાથ રેલ્વે સ્ટેશન પર વર્તમાન સમયમાં બે પ્લેટફૉર્મ જ છે અને આ કોઇ મોટા શહેર સાથે કનેક્ટ નથી. મોટા શહેરો સાથે જોડીને અહી ટ્રેનની સંખ્યા પણ વધારવામાં આવી શકે છે.
Shaping a new look for Somnath Station!
🪙Sanctioned Cost: 157.4 Cr.
🔷Site survey & Investigation for foundation: CompletedThe station building is being remodeled to the architectural design of Somnath Temple🛕
On completion, this will offer pilgrims World-class amenities. pic.twitter.com/C81ZTrHAhB
— Ministry of Railways (@RailMinIndia) February 17, 2023
Advertisement