અમદાવાદ: અમદાવાદના કેટલાક વિસ્તારમાં વાયુ પ્રદૂષણની ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. પિરાણા વિસ્તારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યૂઆઇ) સૌથી વધુ 343 રહ્યો હતો, જે ઘણી ખરાબ સ્થિતિને દર્શાવે છે. જોકે, અમદાવાદમાં એવરેજ એક્યૂઆઇ 232 દર્જ કરવામાં આવ્યો છે જે ખરાબ શ્રેણીમાં આવે છે.
Advertisement
Advertisement
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંચાલિય વાયુ ગુણવત્તા સૂચકાંક દર્શાવનારી સફર સેવા અનુસાર અમદાવાદ શહેરના વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ પિરાણા (343) રહ્યુ હતુ. ડંપિગ વિસ્તાર ધરાવતા આ ક્ષેત્રમમાં એક્યૂઆઇ 343 દર્દ કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરના બીજા સૌથી પ્રદૂષિત ક્ષેત્ર નવરંગપુરા અને ચાંદખેડા રહ્યા હતા. આ વિસ્તારમાં એક્યૂઆઇ 252 સુધી પહોચી ગયો હતો જે ખરાબ સ્થિતિ છે. જ્યારે રાયખડ વિસ્તારમાં પણ ખરાબ સ્થિતિમાં એક્યૂઆઇ (239) દર્જ કરવામાં આવ્યો હતો. શહેરના અન્ય વિસ્તાર રખિયાલમાં 180, ગિફ્ટસિટીમાં 159, બોપલમાં 156, સેટેલાઇટમાં 149 એક્યૂઆઇ રહ્યો હતો. આ સ્થિતિને વાયુ પ્રદૂષણના આધાર પર મધ્યમ કહેવામાં આવી શકે છે. અમદાવાદ જ નહી, મુંબઇ, પૂણે અને દિલ્હીમાં પણ વાયુ પ્રદૂષણ વધી રહ્યુ છે.
એક્યૂઆઇ 100 સુધી હોવુ ચિંતાની વાત નથી
એમ જોવા જઇએ તો એક્યૂઆઇ જો 100 સુધી થાય તો ચિંતાની વાત નથી હોતી. 0થી 50 સુધી એક્યૂઆઇની સ્થિતિ સારી માનવામાં આવે છે. 51થી 100 સુધી સંતોષકારક અને 101થી 200 સુધી સામાન્ય સ્થિતિ કહી શકાય છે પરંતુ જ્યારે એક્યૂઆઇ 200થી વધારે હોય છે તો ચિંતા વધવા લાગે છે. 200થી 300 સુધી ખરાબ સ્થિતિ અને 300થી 400 વચ્ચે એક્યૂઆઇ હોવુ ખરાબ સ્થિતિને દર્શાવે છે. 401થી 500 સુધી ગંભીર અને તે પછી ઘણી ગંભીર સ્થિતિ હોઇ શકે છે. જ્યારે એક્યૂઆઇ 300ની ઉપર જાય છે તો સ્વાસ્થને લઇને સાવચેત રહેવુ પડે છે. આ રીતની સ્થિતિમાં શ્વાસ સબંધિત સમસ્યાઓ વધી શકે છે. તબીબોની સલાહ હોય છે કે જો એક્યૂઆઇ 300થી વધારે હોય તો લોકોએ માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. વાયુ પ્રદૂષણ અસ્થમા જેવા રોગોને વધારવામાં મદદરૂપ બને છે જેને કારણે ફેફ્સા સબંધિત રોગ થવા અને વધવાની આશંકા હોય છે. માસ્કને કારણે અન્ય કેટલાક રોગોથી પણ સુરક્ષા મળે છે.
Advertisement