નવી દિલ્હીઃ લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને લીધે દેશમાં રાજકીય નિવેદનબાજી વધી ગઈ છે. ભાજપા નેતા સતત આ મામલાને લઈને શાબ્દિક હુમલા કરી રહ્યા છે. આ મુદ્દાને લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવીને ભાજપા રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ તેવી માગણી કરી ચૂકી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે સંસદને બદલે વિદેશી ધરતી પર લોકશાહી વિશે વાત કરવી એ રાહુલ ગાંધી માટે શરમની વાત છે.
Advertisement
Advertisement
ખડગેનો વળતો પ્રહાર
હવે તેમના આ નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વળતો પ્રહાર કર્યો છે. વિદેશમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ ભાજપા દ્વારા માગવામાં આવેલા માફીનામા વિશે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે જે લોકો માફીપત્ર માગે છે તેમને હું એક સવાલ પૂછવા માગું છું. મોદીજીએ 5-6 દેશમાં જઈનેઆપણા દેશના લોકોને બદનામ કર્યા હતા અને કહ્યું કે સ્વતંત્ર ભારતમાં પેદા થવું એ એક બહુ મોટું પાપ છે.
માફીનો કોઈ પ્રશ્ર જ ઉપસ્થિત થતો નથીઃ ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વધુમાં કહ્યું કે ભાષણઅને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઓછી કરી દેવામાં આવી રહી છે, તમામ ટીવી ચેનલોને દબાવવામાં આવી રહી છે, સાચું બોલનારા લોકોને જેલમાં નાખી દેવામાં આવે છે, આ લોકશાહીને કતમ કરી દેવાની પ્રક્રિયા નથી તો શું છે ? એટલે માફીનો કોઈ પ્રશ્ર જ ઉપસ્થિત થતો નથી.
અધીર રંજન ચૌધરીનો પણ આક્ષેપ
આ અગાઉ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે સરકાર પોતે જ ગૃહ ચલાવવા માગતી નથી. સરકારના પ્રધાનોએ ગૃહની કાર્યવાહી ઠપ કરવા માટે ગૃહમાં કેવો હોબાળો મચાવ્યો હતો તેવા દ્રશ્યો અગાઉ કદી જોયા નથી. રાહુલ ગાંધી શા માટે માફી માગે ? તેમણે શું ગુનો કર્યો છે ? માફી તો આ લોકોએ માગવી જોઈએ.
Advertisement