જસદણના વીંછિયા ગામે એક દંપતીએ તાંત્રિકના કહેવા પ્રમાણે રાત્રે પોતાનું માથું વાઢીને કમળપૂજા કરી હોવાની ઘટના ઘટી છે.
Advertisement
Advertisement
વીંછિયા-જસદણના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ આગલા દિવસે રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. ત્યારબાદ બંનેએ તલવારથી માથા વાઢીને હવનકુંડમાં કમળ પૂજા કરી એટલે કે હવનમાં કુંડમાં મસ્તક હોમી દીધા હતા. આજે સવારે પોલીને માહિતી મળતા વિગતવાર તપાસ ચાલી રહી છે.
ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જ્યાં પહેલાં પાનામાં મૃતકે તેમના ભાઈઓને ઉદ્દેશીને છે કે આ કાગળ મા-ભાઈ માટે, તમે ત્રણેય ભાઈ હારે રેજો અને મા-બાપની જેમ ધ્યાન રાખજો અને સાથે જ બેનનું પણ ધ્યાન રાખજો. મારા છોકરાઓનું ધ્યાન રાખજો અને મારી છોકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈ થઈને ધ્યાન રાખજો અને પરણાવી દેજો. મને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે.
સુસાઈડ નોટના બીજા પાનામાં જે ભગવાન ભોલેનાથ લખીને શરૂઆત કરી છે અને તેમાં લખ્યું છે, અમે બેય અમારા હાથે અમારી રાજીએ અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા નથી રહેતી. અમારા ભાઈઓ પણ અમારા માડુ બાપુજી પણ અમારાબેને પણ કોઈ દિવસ અમને કંઈ કહ્યું નથી, એટલે એને પણ કોઈ જાતની પુછપરછ કરતા નહીં.મારા સાસુ મારા સસરા પણ અમને કાંઈપણ કીધેલ નથી, એટલે કોઈ પ્રકારની પુછપરછ ના કરતા. અમને કોઈએ કાઈ કહ્યું નથી. અમે અમાર હાથે કરું છે. કોઈ પ્રકારની પુછપરછ ના કરતા.
હેમુભાઈ અને હંસાબેન તેમની પાછળ એક દીકરી અને દીકરાને આક્રંદ કરતા મૂકીને સેલ્ફ સુસાઈડ કર્યું છે. કાયદાકીય રીતે આ પ્રકારના આત્મઘાત સ્વીકારમાં આવતું નથી અને તે ગુનો બને છે.
Advertisement