ગાંધીનગર: ગુજરાતમાં માર્ચ 2021માં PSIની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પુરાવા સાથે આક્ષેપ કરતા DGPએ તપાસના આદેશ આપ્યા છે. PSIના પરિણામમાં નામ નથી તેવા ઉમેદવાર ટ્રેનિંગ લેતા હોવાનો યુવરાજ સિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે. PSIની નવી ભરતીમાં પસંદ થયેલા તાલીમીની ફરીવાર ચકાસણી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યનું ગૃહ વિભાગ છેલ્લા 9 દિવસથી તપાસ કરી રહ્યું છે. સૂત્રો અનુસાર રાજ્યના પોલીસ વડાને આ ઘટનાની તપાસ સોપવામાં આવી છે. ગૃહ વિભાગ આ મામલે મોટો ખુલાસો કરી શકે છે.
Advertisement
Advertisement
તમામની ફરી તપાસ થશે
ગાંધીનગર કરાઇ પોલીસ એકેડમીમાં તાલીમ લઇ રહેલા તમામ નવા PSIની તપાસ કરવામાં આવશે. પીએસઆઇના નિમણૂક પત્રો, પાસ થયાનું લિસ્ટ અને દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે.DGP વિકાસ સહાયે PSIની ભરતીમાં ગેરરીતિ મામલે તપાસના આદેશ આપ્યા છે અને ભરતી માટે પસંદ કરાયેલા તમામ ઉમેદવારના ડૉક્યુમેન્ટનું રિ-વેરિફિકેશન કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે 2021 માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા PSIની તાલીમ 9 દિવસથી કરાઇ પોલીસ એકેડમીમાં ચાલી રહી છે.
40 લાખની લાંચ આપી પોલીસ બની ગયો
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે 40 લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઇ પણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર સીધો જ કરાઇ પોલીસ એકેડમીમાં PSIની તાલીમ લઇ રહ્યો છે. યુવરાજ સિંહે આ અંગે પુરાવા પણ રજૂ કર્યા છે. યુવા નેતા અનુસાર આ યુવાનનું સફળ થયેલા ઉમેદવારોની યાદીમાં નામ નથી.
2021માં થયેલી ASI અને PSIની ભરતી પરીક્ષામાં 1,382 પૈકી 10 લોકો આ રીતે ભરતી થયા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવયો છે. વડોદરાથી સફળ થયેલા ઉમેદવારોને અપાયેલા નિમણૂક પત્રમાં મયૂરનું નામ નથી.
યુવરાજ સિંહે માંગ કરી છે કે આ ઘટનામાં સંપૂર્ણ તપાસ કરવાની સાથે ભરતી જે બોર્ડે કરી તેના તમામ સભ્યોને સસ્પેન્ડ બરખાસ્ત કરવા જોઇએ. મયૂરે ભરતીમાં જોડાયા પછી પગાર પણ મેળવ્યો છે, તેની રિકવરી કરવા ઉપરાંત તેને દંડ પણ કરવો જોઇે. આ સિવાય 2014 પછી થયેલી તમામ ભરતીઓની પણ તપાસ કરવી જોઇએ.
Advertisement