સુરત માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સામે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત કલમ 8 પ્રમાણે તેમનું વાયનાડના સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
પરંતુ આ જ વર્ષે 13મી જાન્યુઆરીના રોજ મહોમ્મદ ફૈઝલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હત્યાના પ્રયાસમાં મોહમ્મદ ફૈઝલને લક્ષદ્વિપ કોર્ટે તેમને દોષિત કરાર કર્યા હતા.
2019માં હેટ સ્પીચ માટે સાંસદ આઝમ ખાનને 2022માં દોષિત ઠેરવીને તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 2013માં ચારાકાંડમાં સીબીઆઈ કોર્ટે લાલુપ્રસાદ યાદવને દોષિત ઠેરવતા તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ થયું હતું.
2013માં મુઝફ્ફર નગર રમખાણ કેસમાં સાંસદ વિક્રમ સૈનીને બે વર્ષની સજા કરવામાં આવી હતી જેમાં તેમને મુઝફ્ફરનગરનું સાંસદ સભ્યપદ ગુમાવવું પડ્યું હતું.
Advertisement