નવી દિલ્હી: રાહુલ ગાંધીએ સોમવારે શ્રીનગરના કોંગ્રેસ કાર્યાલયમાં તિરંગો ફરકાવીને ભારત જોડો યાત્રા સમાપ્ત કરી હતી. 145 દિવસ પહેલા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત થઇ હતી. શ્રીનગરમાં બરફવર્ષા થઇ રહી છે, તે બાદ પણ કાર્યકર્તાઓનો ઉત્સાહ ઓછો થયો નહતો. સવારે કાર્યાલયની બહાર કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી. રાહુલ ગાંધી અલગ રંગમાં જોવા મળ્યા હતા, તેમણે બહેન પ્રિયંકા સાથે બરફવર્ષાની મજા માણી હતી. બન્ને એક બીજા પર બરફ ઉછાળતા જોવા મળ્યા હતા.
Advertisement
Advertisement
રેલીમાં સામેલ થયા વિપક્ષના નેતા
કોંગ્રેસે શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત યાત્રાના સમાપન પ્રસંગે એક મેગા રેલીનું આયોજન કર્યુ છે. કોંગ્રેસ નેતૃત્વ સિવાય વિપક્ષી દળોના કેટલાક નેતા તેમાં સામેલ થયા છે. DMK, નેશનલ કોંફ્રેસ, ભાકપા, આરએસપી અને આઇયૂએમએલના નેતા ભારત જોડો યાત્રાના સમાપન પર રાખવામાં આવેલી રેલીમાં સામેલ થયા છે. ભારત જોડો યાત્રાના સમાપન પર રાહુલ ગાંધીએ કહ્યુ કે અમારૂ વિજન મોહબ્બતનું છે.
4000 કિલોમીટર ચાલ્યા બાદ રાહુલ ગાંધીએ રવિવારે શ્રીનગરમાં તિરંગો લહેરાવ્યો હતો. આ યાત્રાનું 135 દિવસ પછી સમાપન થયુ છે. સમાપન સમારંભની શરૂઆત શ્રીનગરમાં કોંગ્રેસ કાર્યાલયમાં ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી અને તે પછી સ્ટેડિયમમાં રેલી કરવામાં આવી રહી છે. સમાપન સમારંભમાં ભાગ લેવા માટે 21 વિપક્ષી દળોને કોંગ્રેસે આમંત્રણ આપ્યુ હતુ.
રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ અંતર્ગત પદયાત્રાના સમાપન બાદ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એક તરફ કોંગ્રેસનું વલણ છે અને બીજી તરફ ભાજપ અને RSSનું ઘમંડ અને નફરતનું વલણ છે. ‘ભારત જોડો યાત્રા’ અંતર્ગત રાહુલ ગાંધીની આ 13મી પ્રેસ કોન્ફરન્સ હતી. વિપક્ષની એકતા સાથે જોડાયેલા સવાલ પર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ‘તમે કયા આધારે કહી રહ્યા છો કે વિપક્ષ તૂટી ગયો છે. વિપક્ષી એકતા સંવાદ અને દૃષ્ટિકોણ પછી આવે છે. વિપક્ષ વેરવિખેર છે એમ કહેવું યોગ્ય નથી. મતભેદો છે… પરંતુ વિપક્ષ એક સાથે ઉભા રહીને લડશે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઇ હતી. આ યાત્રા દેશભરના વિવિધ રાજ્યના 75 જિલ્લામાંથી પસાર થઇ છે.
રાહુલ ગાંધીના કટ આઉટ પર વિવાદ
રાહુલ ગાંધીએ રવિવારે શ્રીનગરના લાલ ચૌક પર તિરંગો ફરકાવ્યો હતો. આ ધ્વજારોહણને લઇને વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે, તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ પોતાનું કટઆઉટ લગાવીને તિરંગો ફરકાવ્યો છે. આ પુરી રીતે નિંદનીય છે કે એક પાર્ટીનો નેતા આવુ કરે, આ ધ્વજ સંહિતાનું અપમાન છે.
Advertisement