ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહ પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવ્યા હતા. રાજકોટમાં એક પત્રકાર પરિષદ કરીને ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. રાઘવ ચઢ્ઢા કેટલાક આંદોલનકારીઓને મળ્યા હતા અને તેમણે ખબર પડી કે આંદોલનકારી એક નારો ઉઠાવી રહ્યા છે, ‘એક કચોરી-બે સમોસા, ભાજપ તેરા ઝીરો ભરોસા’.
Advertisement
Advertisement
રાઘવ ચઢ્ઢાએ કહ્યુ, “ગુજરાતની એવી સ્થિતિ થઇ ગઇ છે કે અહી દરેક જગ્યાએ ભાજપના કુશાસનથી પીડિત લોકો આંદોલન કરી રહ્યા છે. હું કેટલાક આંદોલનકારીઓને મળ્યો, તેમની સાથે વાત કરી, મે કહ્યુ ભાજપ સાથે વાત કરો ચૂંટણીને ધ્યાનમાં રાખી તમારૂ કામ પણ બની જાય, તેમણે જવાબ આપ્યો, આજકાલ ગુજરાતમાં એક નારો પ્રચલિત છે. તે છે 1 કચોરી, 2 સમોસા ભાજપ તારો 0 ભરોસો.
રાઘવ ચઢ્ઢાએ કહ્યુ, આજના ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારી, ગ્રુપ સી અને ડીના કર્મચારીથી લઇને વિદ્યા સહાયક, આંગણવાડી કાર્યકર્તા, મિડ ડે વર્કર, વિલેજ કોમ્પૂટર એંટરપ્રેન્યોર અને સફાઇ કર્મચારી સહિત કેટલાક લોકો સરકારથી નારાજ છે. જગ્યાએ જગ્યાએ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી માટે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે, માટે હવે પાર્ટીએ તેમણે ગુજરાત ચૂંટણીના સહ પ્રભારી બનાવ્યા છે. રાઘવ ચઢ્ઢા રાજકોટ પહોચ્યા હતા. અહી તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ અને સીનિયર લીડરશિપ સાથે બેઠક કરી હતી અને તે બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાઘવ ચઢ્ઢા મહાત્મા ગાંધીના બાળપણના નિવાસસ્થાને પણ જઇ શકે છે.
રાઘવ ચઢ્ઢાનો પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પહેલાથી જ ગુજરાતમાં છે અને અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 25 સપ્ટેમ્બરે ગુજરાત પહોચી રહ્યા છે.
Advertisement