સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનથી ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા છે
શિક્ષણ જ્ઞાનની વહેતી ગંગા છે. શિક્ષણ મેવળવાથી સમાજને એક નવું માર્ગદર્શન મળે છે. અભ્યાસમાં હોશિયાર સ્ટુડન્ટ્સ હોય અને તેમને પૂરતું માર્ગદર્શન ન મળવાથી તેઓ સફળ થતા નથી ત્યારે શહેરના વાસણા વિસ્તારમાં રહેતા અને આર.સી.ટેકનિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા પાર્થ ભટ્ટ છેલ્લાં સાત વર્ષથી અનોખો સેવાયજ્ઞા શરૃ કર્યો છે. આ વિશે વાત કરતાં પ્રોફેસર પાર્થ ભટ્ટ કહે છે, અભ્યાસ કર્યા પછી મારે ગવર્મેન્ટની વિવિધ એક્ઝામની તૈયારી કરવાનો વિચાર આવ્યો હતો. એક્ઝામની તૈયારી માટે મારી પાસે પુસ્તકો ન હતા તેમ છતાં મહેનત કરતો રહ્યો. ‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી’ તે સૂત્રથી કોઇની પાસેથી થોડા દિવસો સુધી પુસ્તકો વાંચવા માટે લાવતો હતો અને તેમ કરતાં પ્રોફેસર માટેની નેટ ચારવાર અને જીસેટની બે વાર પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા પાસ કરવાથી મારામાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું અને ત્યારે મનોમન સંકલ્પ કર્યો કે, સમાજમાં મારા જેવા ઘણાં વિદ્યાર્થીઓ છે જે વિકટ પરિસ્થિતિમાંથી આવતા હોય છે કે જેમની પાસે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન કે પરીક્ષાઓની તૈયારી કરવા માટે મટીરીયલ્સ ન હોવાથી તેઓ નિરાશ થતા હોય છે. આવા વિદ્યાર્થીઓનો સંપર્ક થવાથી તેમને એક માર્ગદર્શક તરીકે તેમને નિઃશુલ્ક મટીરીયલ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અઘરાં પ્રશ્રોનું સોલ્યુશન કરાવીને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવું છું અને તેને લીધે અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ જગ્યાએ પોતાની સેવા આપે છે. હાલના સમયમાં વિવિધ શાળા-કોલેજમાં જઇને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપીને તેમને પ્રોત્સાહિત કરું છું.
Advertisement
Advertisement
Advertisement