૮૦૦ ડિગ્રીએ લોખંડ ઓગળશે નહીં અને લાંબાગાળે કટાશે નહીં તેવું ‘પોલિએમાઇડ નેનોકોમ્પોઝિટ’ લિક્વિડ માટે પેઇન્ટ ફાઇલ કરાઇ
Advertisement
Advertisement
આપણા કૃષિપ્રધાન દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણો વિકાસ થઇ રહ્યો છે. ઉદ્યોગ ક્ષેત્રે મહત્તમ ઉપયોગમાં લેવામાં આવતું લોખંડ સમય જતાં કટાઇ જતું હોય છે. લોખંડ ઊંચા તાપમાને ઓગળે નહીં અને કટાઇ પણ જાય નહીં તેને લઇને ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા અનોખો રસ્તો શોધી કઢાયો છે. લોખંડ કે બીજી કોઇ ધાતુ પર પડ ચઢાવીને તેના આયુષ્યમાં વધારો થઇ શકે તેવા ‘પોલિએમાઇડ નેનોકોમ્પાઝિટ’ પદાર્થનું સંશોધન પ્રો. દિલીપ વસાવા અને તેમના રિસર્ચ સ્કોલર નિકિતા મિશ્રા તથા હિમાંશુ માધડ દ્વારા ગ્રાફીન પદ્ધતિથી તૈયાર કરાયું છે અને તેની ચાર પેટન્ટ ફાઇલ કરાઇ છે. આ અંગે પ્રો.દિલીપ વસાવા કહે છે કે, ‘પોલિએમાઇડ નેનોકોમ્પોઝિટ’ એ લિક્વિડ પ્રવાહીમાં છે અને તે સોલિડ સ્વરૃપમાં હોય છે. નેનોકોમ્પિઝિટ ગ્રેફીનમાંથી બને છે. આ પદાર્થ એક ઘટકનું સૂક્ષ્મ પરિમાણ ૦થી ૧૦૦ નેનોમીટર શ્રેણીમાં આવે છે જેનો ઉપયોગ અન્ય ગુણધર્મમાં સુધારણા કરીને નવો પદાર્થ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રમાં કાટને લીધે એક વર્ષમાં ૪૦ બિલિયન ડૉલર કરતા વધુ નુકસાન થાય છે. નેનોકોમ્પોઝિટ ઇચ્છનીય ગુણધર્મો ધરાવતું સંયોજન છે. આ સંયોજન ખૂબ જ ઓછા ભંડોળ અને મર્યાદિત સંસાધનોના ઉપયોગ કરીને બનાવી શકાય છે. વધુમાં રિસર્ચ કોલર નિકિતા મિશ્રા કહે છે કે, નેનોકોમ્પિઝિટના કોટિંગને લીધે લોખંડ કે બીજી કોઇ ધાતુના આયુષ્યમાં વધારો કરી શકાય છે. સ્પેસના સાધનો, એરોપ્લેન, જહાજ અને સંરક્ષણના સાધનોને કોટિંગ કરવામાં આવે અને તે ૪૦૦થી ૮૦૦ ડિગ્રી ઊંચા તાપમાન સુધી સ્ટેબલ રહે શકે તે માટેની ‘પોલિએમાઇડ નેનોકોમ્પોઝિટ’ પદાર્થ તૈયાર કરવામાં આવ્યો છે. કોટિંગ કરવામાં આવે તો તેના આયુષ્યમાં વધારો કરી શકાય છે તેમજ ઉચ્ચ તાપમાન અને આગ અવરોધકમાં ખૂબ ઉપયોગી બની શકે છે. તેમજ ઉદ્યોગો દ્વારા નિકાલ થતા પ્રદૂષિત પાણીમાં રહેલા હાનિકારક તત્વોને શોષક કરવાનું કામ કરે છે. લોખંડનો જરૂરિયાત મુજબ ઉપયોગ થશે અને વધારાના લોખંડને કોઇ નુકસાન થશે નહીં જેનાથી ઘણો ફાયદો થઇ શકશે
Advertisement