થિયેટર મારા માટે સ્ટેજ નહીં પણ એક ઘર છેઃ પ્રશાંત તરુણ જાદવ
Advertisement
Advertisement
વ્યકિતના જીવનમાં અચાનક આવતા વળાંક એક થિયેટર જેવા જ હોય છે. ઘણી મુશ્કેલીઓમાં પસાર થયા પછી વ્યકિત થિયેટર સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે તે સાચે જ થિયેટરકર્મી હોય શકે છે. શહેરના નરોડા વિસ્તારની અશોક મીલની નવી ચાલીમાં રહેતા થિયેટરકર્મીને જીવલેણ અકસ્માત થતા ગંભીર ઇજામાંથી સાજા થઇને પોતે થિયેટર સાથે કામ કરી રહ્યો છે જે દરેક વ્યકિત માટે એક પ્રેરણાસ્ત્રોત બન્યો છે. આ વિશે પ્રશાંત તરૂણ જાદવ કહે છે કે, થિયેટર જોવાના શોખને લીધે થિયેટર આર્ટિસ્ટ બનવા માટે પૂરતું દિશાસૂચન પૂરું પાડયું હતું. મને ક્યાં ખબર હતી કે, થિયેટર કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. બે વર્ષ પહેલાં થયેલા અકસ્માતથી મારા મમ્મી જે તે સ્થળ પર મૃત્યુ પામ્યા હતા. થિયેટરને લઇને જીવનમાં ઘણાં ચઢાવ-ઉતાર આવ્યા હતા. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો હતો પણ મને મારી આંખોમાં તો થિયેટર જ દેખાતું હતું. એક વર્ષ સુધી માત્ર બેડરેસ્ટમાં રહ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછીના થોડા દિવસમાં કાકીનું અને મારા પિતાનું અવસાન થયું હતું. એક આર્ટિસ્ટ તરીકે જીવનને અહીં સુધી લાવવાના સફરમાં ક્યારેય ઘરની ચાર દીવાલો અને છતની નીચે હું રહ્યો જ નથી. મને જે જગ્યા મળે ત્યાં એક થિયેટર બને તે માટેનો મારો પ્રયાસ હતો. થિયેટર મારા માટે સ્ટેજ નહીં પણ એક ઘર છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં થિયેટર આર્ટિસ્ટ તૈયાર કર્યા છે અને તેનાથી મને ઘણો આનંદ પણ છે. થિયેટરને લીધે મારોહતો. મારી સ્થિતિ જોઇને ઘણાં લોકોએ પ્રેરણા મેળવી છે ત્યારે મેં ઘણાં લોકોનું કાઉન્સિલિંગ કરીને પ્રોત્સાહિત કરી રહ્યો છું. થિયેટરની નેશનલ કોમ્પિટિશનમાં મેં તૈયાર કરેલ ઘણી ટીમ વિજેતા થઇ છે જેને લીધે મને થિયેટર પ્રત્યેનો અનન્ય પ્રેમ છે.
Advertisement