આજે એટલે કે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની મહત્વની બેઠક છે. આ બેઠકમાં NCPના નવા પ્રમુખને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે, એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના સીનિયર નેતાઓ શરદ પવારને જ પાર્ટીની કમાન સંભાળવા માટે મનાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યાં છે.
Advertisement
Advertisement
એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે રચાયેલી સમિતિ નવા નામો પર ચર્ચા કરતા પહેલા શરદ પવારને પક્ષના વડા તરીકે ચાલુ રાખવા માટે વિનંતી કરવામાં આવશે.
શરદ પવારે તેમના સમર્થકો દ્વારા રાજીનામું પાછું ખેંચવાની અપીલ પર હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓથી લઈને કાર્યકરો સુધી શરદ પવાર પર રાજીનામું પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આજે યોજાનારી એનસીપીની બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અજિત પવારની ભાજપ સાથે વધતી જતી નિકટતાની અટકળો વચ્ચે મંગળવારે શરદ પવારના રાજીનામાની જાહેરાત કરવામાં આવી હતી.
તે પછી જ NCPના મોટા નેતાઓ સહિત કાર્યકરોએ શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ભાવનાત્મક અપીલ કરવાનું શરૂ કર્યું છે. આ પછી પવાર પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા સહમત થયા હતા.
Advertisement