શરદ પવારે થોડા દિવસ પહેલાં રોટલી ફેરવવાની વાત કરતાં આજે ખરેખર રાજકીય રોટલી ફેરવવાના ભાગરૂપે એનસીપી સુપ્રિમોમાંથી નીકળવાની લીલીઝંડી બતાવી દીધી. પવાર પછી હવે એનસીપીનો તાજ કોના શીરે જશે તે માટે અજીત પવાર અને સુપ્રિયા સુલે આગળ પડતા નામ છે પરંતુ તે સીવાક પવારના રાજીનામા બાદ પાર્ટીના અધ્યક્ષની પસંદગી માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં પ્રફુલ્લ પટેલ, સુનીલ તડકારે, કેકે શર્મા, પીસી ચાકો, અજિત પવાર, જયંત પાટીલ, સુપ્રિયા સુલે, છગન ભુજબળ, દિલીપ પાટીલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આહવાદ, હસન મુશરિફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડનાં નામ છે.
Advertisement
Advertisement
જો કે શરદ પવારે તેમની નિવૃત્તિ માટે તેમની વધતી જતી ઉંમરનું કારણ બતાવ્યું છે. છતાં હવે એનસીપીની ધૂરા કોના હાથમાં જાય છે તે માટે સૌની નજર છે. ઉપરોક્ત સમિતિમાં જે લોકો છે તેમાના મોટા ભાગના દિગ્ગજો છે જેમાં પ્રફૂલ્લ પટેલ સિનિયર નેતા છે, અજીત પવાર ઈન્ફ્લુએન્શિયલ પર્સનાલિટી છે જ્યારે સુપ્રિયા સુલે પવારના પુત્રી છે. આમ ત્રણેય દ્રષ્ટિકોણથી એનસીપીની આ સમિતિ કોને નક્કી કરે છે તે અગત્યનું છે.
NCPના હાલમાં દેશમાં 9 સાંસદો છે. જેમાં લોકસભાના 5 અને રાજ્યસભાના 4 સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે, સમગ્ર દેશમાં પાર્ટી પાસે 57 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં 54, કેરળમાં 2 અને ગુજરાતમાં 1 ધારાસભ્ય છે. જ્યારે, પાર્ટીના દેશભરમાં 20 લાખ કાર્યકરો છે.
4 દિવસ પહેલાં જ શરદ પવારે કહ્યું હતું કે રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે અને જો ઊલટાવી લેવામાં ન આવે તો એ કડક બની જાય છે. આ નિવેદન પર અજિત પવારે કહ્યું હતું કે નવા ચહેરાઓને આગળ લાવવાની એનસીપીની પરંપરા રહી છે.
તેમણે 1999માં કોંગ્રેસમાંથી અલગ થઈને NCPની રચના કરી હતી. ત્યારથી તેઓ પાર્ટીના અધ્યક્ષ છે. પવારની જાહેરાત બાદ પાર્ટી કાર્યકર્તાઓએ તેમના સમર્થનમાં નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓ તેમને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની માગ કરી રહ્યા હતા.
Advertisement