પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી 8 જુલાઈએ યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. ચૂંટણી માટે નોમિનેશન શરૂ થઈ ગયું છે. રાજ્યના 22 જિલ્લાની 3 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા રાજકીય વિખવાદ તેજ થઈ ગયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના ચૂંટણી કમિશનર રાજીવ સિંહાને મળ્યા હતા.
Advertisement
Advertisement
બેઠક બાદ શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી કમિશનર રાજીવ સિન્હા પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે મમતા બેનરજી અને રાજીવ સિંહાએ 20 હજાર બેઠકો બિનહરીફ જીતવા માટે ષડયંત્ર રચ્યું છે. તેમણે સેન્ટ્રલ ફોર્સ માટે ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે બંગાળમાં કોઈ સંવેદનશીલ બૂથ નથી. આ ઉપરાંત અધિકારીએ કમિશન પર ભાજપના ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી ન આપવાનો પણ આક્ષેપ કર્યો છે.
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મમતા બેનરજીનું જંગલરાજ ખતમ થવું જોઈએ. ભાજપના ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા દેવાતી નથી. બશીરહાટ, કેનિંગ, ઈન્ડસ અને અન્ય સ્થળોએ ઉમેદવારી પત્ર દાખલ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. 20 હજાર બેઠકો પર બિનહરીફ ચૂંટણી જીતવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે અને તેમાં રાજ્યના ચૂંટણી કમિશનર રાજીવ સિંહા અને બંગાળ પોલીસ મમતા બેનરજી સાથે મળેલા છે.
આ મામલે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંતા મજુમદારે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં એવા ઘણાં બ્લોક છે જ્યાં લોકો ઉમેદવારી નોંધાવી શકતા નથી તથા બોમ્બ અને બંદૂકનું રાજકારણ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચની કામ કરવાની કોઈ પદ્ધતિ સાચી નથી, તેઓ પોલીસના ભરોસે બેઠા છે. પંચે હજુ સુધી કેન્દ્રીય દળની માંગણી કરી નથી…શાસક પક્ષ ચૂંટણી પંચનું સંચાલન કરી રહ્યો છે.
Advertisement