આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદી સતત રાજસ્થાનની મુલાકાત લઈને પોતાની તરફેણમાં વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ શાસક પક્ષ કોંગ્રેસ પણ વિવિધ પ્રયાસોમાં લાગેલી છે. દરમિયાન રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અંગે ભાજપાએ બે સમિતિઓની રચના કરી છે. ભાજપે નારાયણ પંચારિયાને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની જવાબદારી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલને સંકલ્પ સમિતિ (ઘોષણાપત્ર)ના કન્વીનર બનાવ્યા છે. પરંતુ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પાર્ટી હાઈકમાન્ડ પૂર્વ સીએમ વસુંધરા રાજેને સાઈડલાઈન કરી રહ્યું છે ?
Advertisement
Advertisement
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના મોટા ચહેરાઓમાંના એક વસુંધરા રાજે સિંધિયાને પાર્ટી હાઈકમાન્ડે મોટો ઝટકો આપ્યો છે. વસુંધરા રાજેનું નામ ભાજપની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ અને સંકલ્પ સમિતિ (ઘોષણાપત્ર) માં સામેલ કરાયું નથી. જ્યારથી આ રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપમાં પણ બધું બરાબર નથી. તેમની અવગણના પાર્ટીને મોંઘી પડી શકે છે. બંને સમિતિમાં સ્થાન ન મળવાના કારણે રાજ્યમાં રાજકીય પારો પણ ગરમાયો છે.
સમિતિના સંયોજક કોને બનાવાયા?
બે વખત સીએમ રહી ચૂકેલા વસુંધરા રાજેને પાર્ટીએ સાઇડલાઇન કરી દીધાં છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ જારી કરેલી ‘રાજ્ય ચૂંટણી પ્રબંધન સમિતિ’ના કન્વીનર તરીકે નારાયણ પંચારિયાને નીમવામાં આવ્યા છે. પંચારિયા રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ પણ છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલને સંકલ્પ સમિતિ (ઘોષણાપત્ર) ના સંયોજક બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ સાઈડલાઈન કરવાનો ઈન્કાર કર્યો
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને રાજેને સાઈડલાઈન કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે વસુંધરા રાજે અમારા વરિષ્ઠ નેતા છે. અમે તેમને ઘણાં કાર્યક્રમોમાં સામેલ કર્યા છે અને ભવિષ્યમાં પણ અમે તેમનો સમાવેશ કરતા રહીશું.
Advertisement