તમિલનાડુના મંત્રી અને ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા પર ફરી એકવાર સવાલ ઉઠાવતા સનાતન ધર્મ પર નિશાન સાધ્યું છે. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલે માટે આમંત્રિત નહોતા કરવામાં આવ્યા કારણ કે તેઓ વિધવા છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે.
Advertisement
Advertisement
ઉદયનિધિ સ્ટાલિને ફરી ટોણો માર્યો
ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર કટાક્ષ કરતાં પૂછ્યું કે શું આને આપણે સનાતન ધર્મ કહીએ છીએ ? સ્ટાલિને મદુરાઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમે આની સામે અમારો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું. ઉદયનિધિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આશરે રૂ. 800 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ ઐતિહાસિક છે. પરંતુ ભારતના પ્રથમ નાગરિક હોવા છતાં, રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, કારણ કે તેઓ આદિવાસી સમુદાયમાંથી આવે છે અને વિધવા હોવાને કારણે તેમને આ કાર્યક્રમથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉદયનિધિએ પૂછ્યો મોટો સવાલ?
ઉદયનિધિએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે સમયે અધીનમને તમિલનાડુથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ભારતના રાષ્ટ્રપતિને નહીં કારણ કે તેઓ વિધવા છે અને આદિવાસી સમુદાયના છે. શું આ સનાતન ધર્મ છે ? મુર્મુને ન તો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ન તો આ દિવસોમાં ચાલી રહેલા વિશેષ સત્રમાં આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
બોલિવૂડ અભિનેત્રીઓને બોલાવવામાં આવી હતી પરંતુ…
ઉપરાંત, ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે જ્યારે સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે બોલિવૂડ અભિનેત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવ્યા હતા, આ ઘટનાઓ આવા નિર્ણયો પર સનાતન ધર્મનો પ્રભાવ દર્શાવે છે.
Advertisement