મુંબઈઃ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારી કરી રહેલી કેન્દ્રની ભાજપ સરકારને બીજા પક્ષનું સમર્થન મળ્યું છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે પણ સમાન નાગરિક સંહિતાને સમર્થન આપ્યું છે. અગાઉ, આમ આદમી પાર્ટીએ પણ યુનિફોર્મ સિવિલ કોડને પોતાનું સૈદ્ધાંતિક સમર્થન જાહેર કર્યું હતું. AAP નેતા સંદીપ પાઠકે કહ્યું હતું કે સૈદ્ધાંતિક રીતે અમે સમર્થન કરીએ છીએ. પરંતુ આ મુદ્દે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા પછી જ નિર્ણય લેવો જોઈએ.
Advertisement
Advertisement
હવે ઉદ્ધવ ઠાકરે જૂથે યુસીસીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ બિલ ચોમાસુ સત્રમાં આવશે તો પક્ષ તેનું સમર્થન કરશે. ભલે તમામ પક્ષો યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ભાજપના ઈરાદા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ મોટાભાગના પક્ષો આ અંગે સાવધાનીપૂર્વક બોલે છે. NCP નેતા શરદ પવારે તેમની પાર્ટીના નેતાઓને UCC મુદ્દે ટિપ્પણી ન કરવા માટે કડક સૂચના આપી છે. એનસીપીના વડાને લાગે છે કે તેઓ આ મુદ્દે ભાજપ સરકારને સાથ આપી શકશે નહીં અને તેઓ તેની વિરુદ્ધ બોલશે તો તે ધ્રુવીકરણ થઈ શકે છે.
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આ મુદ્દો વૈચારિક છે. તે હંમેશા યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં રહી છે. હાલ તે NCPઅને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ભલે હોય, પરંતુ જો તે UCCની વિરુદ્ધ જાય તો ભાજપ તેમના પર હિન્દુત્વ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવી શકે છે. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે જૂથ તેમની વિરુદ્ધ કોઈ છાપ ઉભી કરવા માગતું નથી. આ કારણસર, તેણે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. YSR કોંગ્રેસ, BJD જેવા કેટલાંક અન્ય પક્ષો પણ આ મામલે સરકારને સમર્થન આપશે એવું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રવાસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેરા બૂથ સબસે મજબૂત’ અભિયાન હેઠળ મંગળવારે મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હાલમાં યુનિફોર્મ સિવિલ કોડના નામે લોકોને ભડકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે?
Advertisement