નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. જ્યારે એક જવાન હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે. શહીદ થયેલા જવાનોમાં આર્મીના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોંક, કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયું ભટ્ટનો સમાવેશ થાય છે. બુધવારે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. પીએમ મોદી મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણી પર પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટનાની માહિતી મળી. પીએમ મોદીનું ફૂલ વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ મામલે વિપક્ષે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
Advertisement
Advertisement
આ મામલે આરજેડી નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે મણિપુરમાં આગ લાગી છે, શ્રીનગરમાં આર્મી ઓફિસરો શહીદ થયા અને ભાજપ ઓફિસમાં ઉત્સવ મનાવવામાં આવી રહી છે. સરકાર આ રીતે ચાલે છે ? દેશના કયા ભાગમાં આગ લાગી છે તેની કોઈ જવાબદારી દેશના વડાપ્રધાન, વડાની નથી. તેમને ચિંતા નથી કે સેનાના જવાનો માર્યા જાય છે. પુષ્પ વરસાવો અને ભગવાનનો દરજ્જો આપો.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે આ મામલે કહ્યું કે જે સમયે પીએમ પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી હતી તે સમયે આતંકવાદીઓ આપણા જવાનો પર ગોળીઓ વરસાવી રહ્યા હતા જેમાં 3 વરિષ્ઠ અધિકારીઓ શહીદ થઈ ગયા… તમે કઈ ખુશીમાં ફૂલો વરસાવી રહ્યા છો? આ બધું જોઈને તમને દુઃખ નથી થતું ? તમારા તરફથી કોઈ નિવેદન સુદ્ધાં આવ્યું નથી.
આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ પણ આ મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ગઈકાલે આપણા જવાનો શહીદ થયાં. વડાપ્રધાન અને તેમની પાર્ટી ઉજવણી કરી રહી હતી. તેમને ઉજવણી કરવાનો અધિકાર છે. પરંતુ, તેઓ થોડી રાહ જોઈ શક્યા હોત. તેઓ તેને 1-2 દિવસ માટે પણ મુલતવી રાખી શક્યા હોત.
Advertisement