દિલ્હી: કોંગ્રેસે ગોરખપુરના ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાના કેન્દ્રની મોદી સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે આ સાવરકર અને ગોડસેને એવોર્ડ આપવા જેવું છે. હવે કોંગ્રેસના આ આરોપ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. આજે મીડિયા સાથે વાત કરતા ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો વિરોધ કરી રહી છે, તેની અમે નિંદા કરીએ છીએ. આ વિરોધ ગીતા પ્રેસ સામે નથી, પરંતુ, ગીતા વિરુદ્ધ છે.
Advertisement
Advertisement
વધુમાં, તેમણે કહ્યું કે મુસ્લિમ લીગ તદ્દન ધર્મનિરપેક્ષ છે અને આરએસએસ સાંપ્રદાયિક તે આજનો એજન્ડા નથી. આ એક એજન્ડા નહેરુજીના જમાનાનો છે. આ ખાનદાની વિચાર છે. હું ફરી એકવાર કહેવા માંગુ છું કે ગીતા પ્રેસ, ગોરખપુરના મુદ્દા પર કોંગ્રેસે જે ચરિત્ર દર્શાવ્યું છે તે તેમની ભારત, ભારતીય સંસ્કૃતિ, હિન્દુત્વ અને મહાત્મા ગાંધીના આદર્શો પ્રત્યેના તેમના તિરસ્કારનો સ્પષ્ટ પુરાવો છે.
શું છે સમગ્ર મામલો ?
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર ગીતા પ્રેસ ગોરખપુરને આપવામાં આવશે. આ પુરસ્કારમાં રૂ. એક કરોડ, પ્રશસ્તિપત્ર, એક ઉત્કૃષ્ટ પરંપરાગત હસ્તકલા વસ્તુનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ શાંતિ અને સામાજિક સમરસતાના ગાંધીવાદી આદર્શોને પ્રોત્સાહન આપવામાં ગીતા પ્રેસના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે ગીતા પ્રેસના 100 વર્ષ પૂરા થવા પર ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવો તે માનવતાના સામૂહિક ઉત્કર્ષમાં ગીતા પ્રેસના મહત્ત્વપૂર્ણ અને અનન્ય યોગદાનની માન્યતા પૂરી પાડે છે, જે સાચા અર્થમાં ગાંધીવાદી જીવનનું પ્રતીક છે.
ગીતા પ્રેસ વિશ્વના સૌથી મોટા પ્રકાશકો પૈકી એક
1923 માં સ્થપાયેલ ગીતા પ્રેસ વિશ્વના સૌથી મોટા પ્રકાશન ગૃહોમાંનું એક છે. આ પ્રેસમાં 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમાં 16.21 કરોડ ભગવદ ગીતા સામેલ છે. જયરામ રમેશે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્રનો આ નિર્ણય વાસ્તવમાં મજાક છે અને સાવરકર તથા ગોડસેને એવોર્ડ આપવા જેવો છે.
Advertisement