દિલ્હીઃ લોકસભામાં વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક વલણ અપનાવતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હવે શાસક પક્ષ તરફથી સ્મૃતિ ઈરાનીએ વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીને જવાબ આપતી વખતે સ્મૃતિ ઈરાની પણ આક્રમક મૂડમાં જોવા મળ્યાં હતાં.
Advertisement
Advertisement
લોકસભામાં બોલતા ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તમે ભારત નથી કારણ કે ભારત ભ્રષ્ટ નથી. ભારત વંશવાદમાં નહીં યોગ્યતામાં વિશ્વાસ કરે છે અને આજે અંગ્રેજોને શું કહેવામાં આવ્યું હતું તે તમારા જેવા લોકોએ યાદ રાખવાની જરૂર છે – ભારત છોડો, ભ્રષ્ટાચાર ભારત છોડો, વંશવાદ ભારત છોડો, યોગ્યતાને હવે ભારતમાં સ્થાન મળ્યું છે.
સ્મૃતિ ઈરાનીએ ભારત માતાની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દેશના ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસના નેતાઓએ તાળીઓ પાડી. ભારત માતાની હત્યાની વાત કરનારા ક્યારેય ટેબલ થપથપાવતા નથી, પરંતુ કોંગ્રેસીઓએ તેમની માતાની હત્યા માટે ટેબલ થપથપાવ્યું છે. તેનાથી સમગ્ર દેશને સંદેશ મળે છે કે ગદ્દારી કોના મનમાં છે ?
કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં રાહુલ ગાંધીના આરોપો પર વળતો પ્રહાર કરતા વધુમાં કહ્યું કે મણિપુર આપણા દેશનું અભિન્ન અંગ છે. તે કદી ખંડિત ન હતું, ખંડિત નથી અને ક્યારેય થશે નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું કે સાંધાના દુખાવા પર હું કંઈ કહીશ નહીં. પરંતુ રાહુલ ગાંધી કાશ્મીરમાં બરફથી રમતા જોવા મળ્યા હતા. કલમ 370 હટી તેના લીધે જ આ શક્ય બન્યું છે.
Advertisement