શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) નેતા સંજય રાઉતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અજિત પવાર પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે અજિત પવારની સામે શરદ પવારને બદનામ કરવામાં આવી રહ્યા હતા અને પીએમ મોદી તથા ભાજપના નેતાઓ તેનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે પોતાને ગૌરવપૂર્ણ મરાઠા ગણાવનારા અજિતે મંચ છોડીને ત્યાંથી જતા રહેવું જોઈતું હતું.
Advertisement
Advertisement
માત્ર સ્વાર્થનો સંબંધ
સંજય રાઉતે વધુમાં કહ્યું કે તે લોકો કોઈકની નિંદાનો આનંદ માણે છે. તેમનું આ જ કામ છે. આજે તેઓ શરદ પવારનું ખરાબ બોલી રહ્યા છે, કાલે તેઓ બાળાસાહેબ ઠાકરે વિશે ખરાબ બોલશે. તેમનો સંબંધ માત્ર તેમના મતલબ એટલે કે સ્વાર્થ સાથે છે. તેમનો સ્વાર્થ સધાઈ જાય એટલે તેઓ છોડી દે છે.
પોતાને તેમનો શિષ્ય…
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) નેતા સંજય રાઉતે કહ્યું કે ગઈકાલ સુધી શરદ પવારની મદદથી ઘણા કામો થઈ રહ્યા હતા. પીએમ મોદી પોતાને તેમના શિષ્ય ગણાવતા હતા. શરદ પવારને કૃષિ અને સામાજિક ક્ષેત્રમાં તેમના જ્ઞાન અને યોગદાન માટે પદ્મ વિભૂષણ એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે એવું ન લાગ્યું કે આ નેતાએ શું કર્યું છે.
હવે રાજકારણ છે…
રાઉતે વધુમાં કહ્યું કે, પરંતુ હવે તે રાજકારણ છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. તેમના પક્ષમાં ભંગાણ પાડ્યું છે. તેમને નબળા કરી દીધા છે. તમે મહારાષ્ટ્રના સૌથી મોટા નેતા પર આવી ટિપ્પણી કરશો તો રાજ્યની જનતા આ વાત યાદ રાખશે.
Advertisement