દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે દિલ્હીમાં નહેરુ મેમોરિયલનું નામ બદલીને પીએમ મેમોરિયલ કરી દીધું છે. મોદી સરકારના આ નિર્ણય અંગે રાજકીય નિવેદનબાજી ઉગ્ર થઈ ગઈ છે. કોંગ્રેસ બાદ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે પણ મોદી સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે પંડિત નહેરુ પ્રત્યે નફરતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીનું નામ બદલવાના મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે તેઓએ (ભાજપ) કંઈક નવું ખોલ્યું હશે, શું નવું ખોલવામાં કોઈ સમસ્યા છે ? તેમને ગાંધી-નહેરુ પરિવાર સાથે સમસ્યા છે. તેમણે રાહુલ ગાંધીનો સંસદીય દરજ્જો છીનવી લીધો, તેમનો બંગલો છીનવી લીધો. જો તે સામાન્ય વ્યક્તિ તરીકે અમેરિકા જાય અને કંઈક બોલે તો આખો ભાજપ નિવેદનો આપવા લાગે છે.
બીજી તરફ આ મામલે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, પંડિત નહેરુએ દેશના નિર્માણમાં યોગદાન આપ્યું છે, તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ યોગદાન આપ્યું છે. દેશમાં ઘણાં વડાપ્રધાન થયા અને સૌએ દેશ માટે કામ કર્યું છે. પરંતુ મ્યુઝિયમનું નામ બદલવાની જરૂર નહોતી. મ્યુઝિયમ નહેરુના નામે જ ચાલી શકે તેમ હતું. પરંતુ, પંડિત નહેરુ પ્રત્યે નફરતના કારણે આમ કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ નેતા ગૌરલ વલ્લભે આ મામલે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તેમને લાગે છે કે બોર્ડમાંથી પંડિત નહેરુનું નામ હટાવવાથી પંડિત નહેરુના વ્યક્તિત્વની પ્રતિભા ઘટી જશે. નહેરુજીને લોકો આધુનિક ભારતના ઘડવૈયા માને છે. હું મોદીજીને અટલ બિહારી વાજપેયીનું એક નિવેદન યાદ કરાવવા માંગુ છું કારણ કે તમે તેમને પણ તમારા નેતા માનતા નથી, તેમણે કહ્યું હતું કે નાનું મન રાખવાથી કોઈ મોટું બની શકતું નથી.
Advertisement