દિલ્હી: લોકસભામાં કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે છેલ્લો દિવસ છે. આજે ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મોદી સરકારને ઘેરતાં કંઈક એવું કહ્યું જેના કારણે શાસક પક્ષના સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. હકીકતમાં, અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જ્યાં રાજા અંધ હોય ત્યાં દ્રૌપદીનું ચીરહરણ…જોકે ચૌધરીએ આ દરમિયાન કોઈનું નામ લીધું ન હતું. પરંતુ તેમના આ નિવેદનને મણિપુર સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
Advertisement
Advertisement
અધીર રંજનના આ નિવેદન પર ભાજપા સાંસદોએ હોબાળો મચાવ્યો, ત્યાર બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે વડાપ્રધાન એક હાઈ ઓથોરિટી છે. આ બંધ થવું જોઈએ અને તેમણે માફી માંગવી જોઈએ. વડાપ્રધાન સામેના પાયાવિહોણા આરોપોને સ્વીકારી શકાય નહીં. ત્યાર બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તેને રેકોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે.
લોકસભામાં આગળ બોલતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ આજે વડાપ્રધાનને સંસદમાં લઈ આવી છે. અમારામાંથી કોઈ પણ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચારતું ન હતું. અમે તો માત્ર એટલી જ માંગણી કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દે બોલે. અમે ભાજપના કોઈ સભ્યએ સંસદમાં આવવું જોઈએ એવી માગણી કરતા ન હતા. અમે ફક્ત આપણા વડા પ્રધાન આવે એવી માગણી કરી રહ્યા હતા.
ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ વિપક્ષ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી બાદ મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકો લોકશાહીની વાત કરી રહ્યા છે. આ વર્ષની પંચાયત ચૂંટણીમાં પાર્ટીના 59 કાર્યકરોના મોત થયા છે. જ્યારથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સત્તામાં આવ્યા છે ત્યારથી રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. પોતાની ઈમેજ બનાવવા માટે તેઓ પૂછી રહ્યા છે કે પીએમ મોદી મણિપુર મુદ્દે મૌન કેમ છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની ઘટનાઓ પર વિપક્ષ મૌન છે અને મણિપુર વિશે વાત કરી રહ્યો છે.
Advertisement