દિલ્હી: સંસદના બંને ગૃહોમાં ચોમાસુ સત્ર ધાંધલધમાલથી ભરેલું જોવા મળી રહ્યું છે. આજે લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા થઈ હતી, પરંતુ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ મણિપુર મુદ્દે હોબાળો વધી જતાં સ્પીકરે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખી દીધી હતી. બીજી તરફ, રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષની નોટિસનો જવાબ આપવા માટે પીએમ મોદીને બોલાવવાનો ઈનકાર કરી દીધો હતો. તેના લીધે નારાજ થઈને વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
Advertisement
Advertisement
રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે શું કહ્યું?
વિપક્ષી પાર્ટીઓ મણિપુર મુદ્દે સતત હોબાળો કરી રહી છે અને વડાપ્રધાન પાસેથી જવાબ માંગી રહી છે. આજે પણ જ્યારે વિપક્ષે આ માંગણી કરી ત્યારે સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે સભાપતિ દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવશે નહીં. હું કોઈ સૂચના આપી શકતો નથી અને આપવાનો પણ નથી. સ્પીકરે નિયમ 267 હેઠળ દાખલ 60 નોટિસો પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે જ્યારે રાજ્યસભાના સભાપતિએ કહ્યું કે અમે મણિપુર પર ચર્ચા માટેની નોટિસ સ્વીકારી લીધી છે અને તેના માટે નામ માંગ્યા છે, તેથી અમે બોલવાનું શરૂ કર્યું. પરંતુ, પછી તેમણે (વિપક્ષ) નિયમોને ટાંકીને બહાનું કાઢ્યું. તેનો અર્થ એ છે કે તેઓ માત્ર બહાના જ બનાવી રહ્યા છે, ચર્ચા ઇચ્છતા નથી. લોકસભામાં દિલ્હી (NCT)સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ વિધેયકનું લોકસભામાં અવલોકન કરવામાં આવશે, તેથી આજે તેના પર ચર્ચા કરવામાં આવશે. અમારા ત્રણ બિલ રાજ્યસભામાં પેન્ડિંગ છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ શું કહ્યું?
બીજી તરફ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે વિપક્ષી ગઠબંધનના સાંસદો મણિપુર મુદ્દે રાષ્ટ્રપતિને મળશે. ચૌધરીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને મળીશું અને તેમને મણિપુરની સ્થિતિ વિશે માહિતગાર કરીશું. અમે તેમની સાથે મણિપુરની અમારી મુલાકાત દરમિયાન મેળવેલા અનુભવો શેર કરીશું.
Advertisement