કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવીને આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર કુલીઓ સાથેની તાજેતરની તેમની વાતચીતનો એક વીડિયો બુધવારે શેર કર્યો. રાહુલ ગાંધીએ રેલવે સ્ટેશન પર કુલીઓની સમસ્યા સાંભળી હતી. રાહુલ ગાંધીએ તેમનો યુનિફોર્મ પહેરીને સામાન પણ ઉપાડ્યો હતો. આ અગાઉ વાયરલ થયેલા એક વીડિયોમાં રેલવે સ્ટેશનના કુલીઓએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ 21 સપ્ટેમ્બરે આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર કુલીઓને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે બુધવારે કુલીઓ સાથેની તેમની વાતચીતનો એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેમની પાસે કોઈ પગાર નથી, પેન્શન નથી, કોઈ સ્વાસ્થ્ય વીમો નથી અને રેલવે તરફથી કોઈ સરકારી સુવિધાઓ નથી, તે છતાં તેમને આશા છે કે સમય બદલાઈ જશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે થોડાં દિવસ પહેલા હું રામેશ્વર જી (શાકભાજી વેચનાર)ને મળ્યો હતો. આ સમાચાર મળતાં જ કેટલાક કુલી ભાઈઓએ મને મળવા વિનંતી કરી અને મોકો મળતા જ હું દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પહોંચી ગયો. હું તેમને મળ્યો અને લાંબા સમય સુધી વાતચીત કરી. આ દરમિયાન તેમના જીવનને નજીકથી જાણ્યું અને તેમના સંઘર્ષોને સમજ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે કુલી ભારતના સૌથી મહેનતુ લોકોમાંના એક છે. તેઓ પેઢી દર પેઢી લાખો પ્રવાસીઓને તેમની મુસાફરીમાં મદદ કરવામાં તેમનું જીવન વિતાવે છે. ઘણાં લોકો માટે, તેમના હાથ પરનો બેજ માત્ર એક ઓળખ નથી, તે તેમને મળેલો વારસો પણ છે. આ તેમના માટે જવાબદારીનો હિસ્સો છે, પરંતુ, તેમના માટે ખૂબ ઓછી પ્રગતિ થઈ નથી. તેમણે દાવો કર્યો કે, ‘આજે ભારતમાં લાખો શિક્ષિત યુવાનો રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરીને આજીવિકા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ ? રેકોર્ડ બેરોજગારી. દેશના સાક્ષર નાગરિકો બે ટંકનું ભોજન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
Advertisement