લોકસભા ચૂંટણી પહેલા કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, આ ચૂંટણીને સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં હૈદરાબાદમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ તેલંગાણાના સીએમ કેસીઆર અને AIMIM પ્રમુખ ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે દેશભરમાં વિપક્ષી પાર્ટીના નેતાઓને એજન્સીઓ દ્વારા પરેશાન કરવામાં આવે છે ત્યારે આ બંને નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
Advertisement
Advertisement
હૈદરાબાદના રંગા રેડ્ડીમાં એક મોટી રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી માત્ર BRS પાર્ટી સામે લડી રહી નથી. પરંતુ, કોંગ્રેસ BRS, BJP, AIMIM વિરુદ્ધ લડી રહી છે. તેઓ પોતાને જાતને અલગ પાર્ટી કહે છે પરંતુ તે બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. બીજેપીને જ્યારે પણ બીઆરએસની જરૂર પડી ત્યારે તેના લોકોએ તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દરેક વિપક્ષી નેતા વિરુદ્ધ કોઈકને કોઈક કેસ છે, ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બધા વિપક્ષી નેતાઓ પાછળ પડ્યા છે. પરંતુ તેલંગાણાના સીએમ વિરુદ્ધ કોઈ કેસ નથી, AIMIMના નેતાઓ વિરુદ્ધ કોઈ કેસ નથી. નરેન્દ્ર મોદીજી પોતાના લોકો પર ક્યારેય હુમલો કરતા નથી, તેઓ તમારા સીએમ અને એઆઈએમઆઈએમને પોતાના માને છે, તેથી તેમની સામે કોઈ કેસ નથી. તેમણે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે પરંતુ તેમની સામે કોઈ કેસ નથી.
તેલંગાણાના સીએમ કેસીઆર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે અમે બીઆરએસને બીજેપી રિલેટિવ સમિતિ કહીએ છીએ, સીએમના પરિવારને તમામ લાભ મળે છે. અમે કેસીઆરના ફાયદા માટે તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપ્યો નથી. અમે તેલંગાણાના ખેડૂતો, ગરીબો, માતાઓ અને મજૂરો માટે તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપ્યો હતો. પરંતુ છેલ્લાં નવ વર્ષમાં ખેડૂતો, ગરીબો, માતાઓ, મજૂરો, યુવાનો અને નાના દુકાનદારોને તેનો લાભ મળ્યો નથી.
Advertisement