બેંગલોર, કર્ણાટકમાં 10 મેના રોજ થઈ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે આજે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આજે એક સામાન્ય માણસની જેમ ટુ વ્હીલર પર સવારી કરીને લોક સંપર્ક કર્યો હતો.
Advertisement
Advertisement
રાહુલ ગાંધી આજે સાંજે 4 વાગ્યે અને કાલે સાંજે 6 વાગ્યે પુલકેશી નગરમાં બે સભાઓ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત રાત્રે 8.30 કલાકે શિવાજી નગરમાં સભા સંબોધિત કરશે. રાહુલે બેંગલુરુમાં ડિલિવરી બોયના સ્કૂટર સવારી કરીને એક સામાન્ય માણસની જેમ લોકસંપર્ક કર્યો હતો.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ તેમના પ્રચારના અંતિમ દિવસે મૂડાબીડી, બેંગલુરુ દક્ષિણ અને શિવાજી નગરમાં સભા કરવા જઈ રહયા છે. તેઓ મહાદેવપુરા અને બેંગ્લોર સાઉથમાં રોડ શો પણ કરશે. પ્રિયંકાની પહેલી સભા મોડાબીડીમાં બપોરે 2.30 વાગ્યાથી છે. તે 5:30 થી 8:30 સુધી સભા-રોડ શો કરશે. રાહુલ-પ્રિયંકા પહેલીવાર શિવાજી નગરમાં એક મંચ પર જોવા મળશે.
કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અત્યાર સુધીમાં 44 રેલીઓ, 13 રોડ શો, મહિલાઓ અને યુવાનો સાથે છ સંવાદ તેમજ કાર્યકરો સાથે પાંચ બેઠકો કરી છે.
શનિવારે હુબલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ એક એવી પાર્ટી છે જે લૂંટ કરીને સત્તા પર આવી છે, ભાજપને લોકશાહીની પરવા નથી. ભાજપના નેતાઓ ધમકી આપી રહ્યા છે કે જો તેઓ નહીં જીતે તો કર્ણાટકના લોકોને પીએમ મોદીના આશીર્વાદ નહીં મળે અને રમખાણો થશે. હું બીજેપીને કહેવા માગું છું કે કર્ણાટકના લોકો કોઈના આશીર્વાદ પર નહીં, પરંતુ પોતાની મહેનત પર આધાર રાખે છે. મને પૂરો વિશ્વાસ છે કે હવે આ રાજ્યના દિવસો બદલાવાના છે.
રાહુલે હુબલી સિવાય બેલગાવીમાં પણ જાહેર સભાઓને યોજી હતી. સભા દરમ્યાન તેમણે કહ્યું કે પીએમ મોદી કોંગ્રેસ પર આતંકવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવે છે. પરંતુ હું તેના કરતાં આતંકવાદને સારી રીતે સમજુ છું. આતંકવાદીઓએ મારા પરિવારના સભ્યોની હત્યા કરી, મારી દાદીની હત્યા કરી, મારા પિતાની હત્યા કરી. હું પીએમ કરતાં વધુ સારી રીતે સમજુ છું કે આતંકવાદ શું છે અને તે શું કરે છે.
Advertisement